Navsari : એક વાનરરાજ કરે છે વાહનોના કાચની તોડફોડ અને ચોરી , તમે કારણ જાણીને ચોંકી જશો

વાનરરાજની આ કહાનીમાં મહત્વનું એ છે કે શા માટે આ વાનરરાજ તમામ ગાડીઓ કે કારના કાચ તોડીને સાથે લઈ જાય છે ? શું રહસ્ય હશે આ કાચ તોડવા પાછળનું ?

Navsari : એક વાનરરાજ કરે છે વાહનોના કાચની તોડફોડ અને ચોરી , તમે કારણ જાણીને ચોંકી જશો
વાનરરાજનો આતંક
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 6:27 PM

કોઈ ચોર ચોરી કરે તો આપણે એકવાર માની પણ લઈએ. પરંતુ અહીં તમને વિશ્વાસ નહીં થાય એક વાનરરાજ કાચની ચોરી કરતા ઝડપાયો છે એટલું જ નહીં સમગ્ર ગામ આ વાનરરાજથી હાલ ત્રસ્ત થઈ ચૂક્યું છે.

વાત છે નવસારી જિલ્લાના સુપા ગામની કે જ્યાં છેલ્લા કેટલાક દિવસથી બહારથી આવેલા કપિરાજે આતંક મચાવ્યો છે. ક્યારેક લોકોના ઘરના તો ક્યારેક ગાડી અને વાહનોના કાચ તોડી સાથે લઈ ત્યાંથી ફરાર થઈ જાય છે. જો આ વાનરરાજને ત્યાંથી ભગાડવા જાય તો હુમલાનો શિકાર મનુષ્ય થવું પડે. જેથી સમગ્ર ગામના લોકો વાનરથી ભયભીત થઈને ઘરમાં બેસવા મજબૂર બન્યા છે. મહત્વનું એ છે કે એક પણ ગાડીનો કાચ કે ઘરના કાચ જો આ વાનરને દેખાય તો તરત જ તોડીને કાચ લઇ ત્યાંથી નાસી છૂટે છે. જોકે ગામના લોકો આ આ વાનરની ધમાલથી ત્રાસી જતા સ્થાનિક એન.જી.ઓ અને વન વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો.

વાનરરાજની આ કહાનીમાં મહત્વનું એ છે કે શા માટે આ વાનરરાજ તમામ ગાડીઓ કે કારના કાચ તોડીને સાથે લઈ જાય છે ? શું રહસ્ય હશે આ કાચ તોડવા પાછળનું ? સમગ્ર સુપા પંથકમાં વાનરના આ આતંકને પગલે ગાડીઓના કાચમાં મોજા કે કપડાં ઢાંકવાની લોકોએ શરૂઆત કરવી પડી. જેને લઇને વાનરરાજને કાચ ન દેખાય અને ગાડીઓને નુકસાન નહી પહોંચાડે. વિવિધ અનુમાનો વચ્ચે સ્થાનિક લોકોનું એવું માનવું છે કે ગાડીના કાચ કે ગાડી વડે અથડાઈને આ વાનરના બચ્ચાનું મૃત્યુ થયું છે. ક્યાં તો એવી કઈ ઘટના બની હશે કે વાનર આ ગાડીઓને નફરત કરવા લાગ્યો આવી અટકળોને સમગ્ર પંથકમાં ચહલપહલ શરૂ થઇ હતી.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ગ્રામજનોની ફરિયાદને પગલે સ્થાનિક એનજીઓ અને વનવિભાગ દ્વારા આ વાનરરાજને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી. તોફાની કપિરાજને પકડવા માટે વનવિભાગે પાંજરૂ મુકી ને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિચારવાની વાત તો એ છે કે, હવે શું પાંજરામાં પણ કપિરાજને પૂરવા માટે કાચ મૂકવો પડશે ? જોકે અંતે કપિરાજ પાંજરે પુરાશે તોજ ગ્રામ જનો શાંતિનો શ્વાસ લઈ શકશે.

આ પણ વાંચો : અભિનેત્રી રકુલપ્રીત સિંહની બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">