VS હોસ્પિટલની બેદરકારીથી મૃતદેહ અદલા-બદલીનો કેસઃ નસરીનના દફન કરાયેલા મૃતદેહને પરત કાઢવામાં આવ્યો, મિત્તલ સમજીને કરાઈ હતી દફનવિધિ
અધિકારીઓ દફનવિધિ કરાયેલા સ્થળ પર પહોંચ્યા અને નસરીનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે, નસરીનના મૃતદેહને પરત તેના પરીવારને સોંપવામાં આવશે તો મિત્તલ જાધવના ગામ ધોલેરામાં દફન કરાયેલો નસરિનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. મિત્તલના પરિવાર હોસ્પિટલમાંથી નસરિનનો મૃતદેહ પોતાની પુત્રીનો સમજીને પોતાના ગામ ધોલેરા લઈ ગયા હતા. જ્યાં તેમણે સવારે મૃતદેહની દફનવિધિ પણ પૂર્ણ કરી […]
અધિકારીઓ દફનવિધિ કરાયેલા સ્થળ પર પહોંચ્યા અને નસરીનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે, નસરીનના મૃતદેહને પરત તેના પરીવારને સોંપવામાં આવશે
તો મિત્તલ જાધવના ગામ ધોલેરામાં દફન કરાયેલો નસરિનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. મિત્તલના પરિવાર હોસ્પિટલમાંથી નસરિનનો મૃતદેહ પોતાની પુત્રીનો સમજીને પોતાના ગામ ધોલેરા લઈ ગયા હતા. જ્યાં તેમણે સવારે મૃતદેહની દફનવિધિ પણ પૂર્ણ કરી દીધી હતો. જોકે આ મૃતદેહ તેમની પુત્રીનો નથી તે વાત તેમને બપોર બાદ ધ્યાને આવી. ત્યારે નસરિનના પરિવારે હોબાળો મચાવતા તંત્ર હરકતમા આવ્યું હતું. ધોલેરામાં પોલીસ બંદોબસ્ત વચ્ચે નસરિનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જે હવે તેના પરિવારને સોંપવામા આવશે. બીજી તરફ હોસ્પિટલમાં પડેલો મિત્તલનો મૃતદેહ તેના પરિવારને સોંપવામા આવશે જેથી તેઓ અંતિમ વિધિ કરી શકે.
હોસ્પિટલમાં બે નસરીન અને મિત્તલ નામની બે યુવતીઓના મૃતદેહ હોસ્પિટલની ભૂલથી બદલાઈ ગયા હતા. જે બાદ હોસ્પિટલમાં નસરીનના સંબંધીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. સમગ્ર વિવાદના અંતે મેયરે તપાસના આદેશ આપ્યા છે. તો બીજીતરફ આ મામલે રાજકારણ પણ ગરમાયું. કૉંગ્રેસના નેતાઓ ગ્યાસુદ્દી શેખ અને બદરૂદ્દીન શેખ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને ન્યાયિક તપાસની માગ કરી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]