Narmada : નર્મદા ડેમની જળસપાટીમાં 18 સેમીનો વધારો, હાલ ડેમની જળ સપાટી 117.04 મીટર
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે, 24 કલાકમાં 18 સેમીનો વધારો થયો છે.
સરદાર સરોવર નર્મદા ડેમની (Sardar Sarovar Narmada Dam) જળસપાટીમાં 18 સેમીનો વધારો નોંધાયો છે. છેલ્લા 24 છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળસપાટી 18 સેમીનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 117.04 મીટર પર છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતા ડેમના જળસ્તરમાં વધારો થયો છે. આજે ડેમમાં 18662 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. નર્મદા ડેમમાં હાલ 4495.21 MCM લાઈવ સ્ટોરેજ છે.
ઉપરવાસમાંથી પાણીની આવક રહેશે તો ડેમ તેની મહત્તમ સપાટી સુધી પહોચી શકે છે, સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.
આ પણ વાંચો : SBI: કરોડો ગ્રાહકો માટે આવ્યા ખરાબ સમાચાર, તમે આ દિવસે અને આ સમયે નહીં કરી શકો બેન્કની આ 7 સર્વિસનો ઉપયોગ
આ પણ વાંચો :Tokyo Paralympics 2020: અવનિ લેખરાની રાઈફલથી હજુ એક ધમાકો બાકી છે! જાણો ક્યારે થશે