Narmada : ચોમાસામાં નિનાઈ ધોધ સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓ માટે બન્યો આકર્ષણનું કેન્દ્ર

કોરોનાનું સંક્ર્મણ ઓછું થતા લોકો ફરવા નીકળી પડયા છે. ચોમાસા દરમિયાન નર્મદા(narmada) જિલ્લામાં આવેલ નિનાઈ ધોધ (ninai waterfall) પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Narmada : ચોમાસામાં નિનાઈ ધોધ સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓ માટે બન્યો આકર્ષણનું કેન્દ્ર
નિનાઈ ધોધ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2021 | 1:07 PM

કોરોના કાળ હળવો થતા પ્રવાસીઓ નર્મદા (Narmada) જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. નર્મદા જીલ્લાનું પ્રાકૃતિક સૌન્દર્ય ચોમાસાની સિઝન બાદ સોળે કળાએ ખીલી ઉઠે છે. ચોમાસા દરમિયાન નિનાઈ ધોધ (ninai waterfall) પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે નર્મદા વનવિભાગ દ્વારા પણ પ્રવાસીઓ માટે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે . હાલ કોરોના મહામારીના પગલે આ વિસ્તારના પ્રવાસન સ્થળોની વન વિભાગે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી દીધું છે.

સાતપૂળાની ગીરીમાળામાંથી  ખળખળ વહેતી નદી-ઝરણાં અને વન આચ્છદીત કુદરતી પ્રકુતિને કારણે નર્મદા જીલ્લાને મીની કાશ્મીરનું બિરૂદ મળ્યું છે. નર્મદા જીલ્લાના કુદરતી સૌદર્યમાં વધારો કરતો રાજપીપળા શહેરની નજીક નિનાઈ ધોધ આવેલો છે. આ ધોધનો નજારો જોઈ પ્રવાસીઓ આનંદ માણવા ઉમટી રહ્યાં છે. ગુજરાતનો નાનકડો વનવાસી જિલ્લો એટલે નર્મદા જિલ્લોએ જ્યાં સૌથી વધુ અને મોટો વન વિસ્તારો આવેલા છે.

સાતપુડા અને વિધ્યાંચલની ગિરીમાળાઓ વચ્ચે કુદરતી સૌન્દર્ય બારેમાસ સોળે કળાએ ખીલી ઉઠે છે. જેને કારણે જ ગુજરાતના કાશ્મીરનું ઉપનામ નર્મદા જિલ્લાને મળ્યું છે. ડેડીયાપાડાના ઘનઘોર સાતપુડાની વનરાજી વચ્ચે 70 મીટર ઉંચેથી નીચે પડતા જળધોધ સુંદરતામાં વધારો કરે છે. જેને નિનાઈ ધોધ તરીકે ઓળખવામાં આવે છે.

ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી

ગુજરાતમાં આવેલા અનેક પ્રવાસન સ્થળોમાં નર્મદા જિલ્લાને પ્રવાસીઓ વધુ પસંદ કરે છે. કોરોનાની બીજી લહેરમાં લોકો ઘરમાં પુરાઇને કંટાળ્યા હતા. હવે સંક્ર્મણ ઓછું થતા સરકારે ધીમે-ધીમે પ્રવાસન સ્થળો ખોલ્યા છે. જેને લઈ હાલ નર્મદાના ડેડીયાપાડામાં આવેલ નિનાઈ ધોધ જોવા પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે.

આ સાથે જ પ્રવાસીઓ અહીં ધોધની મજા લૂંટી રહ્યા છે. પ્રવાસીઓ કુદરતી નજારો નિહાળવા માટે નર્મદા જિલ્લામાં ઉમટી રહ્યાં છે. આ ધોધ જોવા માટે માત્ર ચોમાસાની ઋતુમાં જ 1 લાખ કરતા વધુ પ્રવાસીઓ આવે છે. જોકે આ ધોધ જોવા માટે પ્રવાસીઓ 270 જેટલા પગથિયાં ઉતારવા અને ચઢવા પડે છે. જેને કારણે પ્રવાસીઓ ચઢતા ચઢતા થાકી જતા રસ્તા પર આરામ કરવો પડે છે. પરંતુ આ ધોધનો નજારો જોવા માટે પ્રવાસીઓ ઉત્સુક છે.

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">