NARMADA : SoUના પ્રવાસીઓ માટે સુવિધા ગ્રામજનો માટે દુવિધા, રેલવે ટ્રેક સ્થાનિકો માટે મુશ્કેલીરૂપ

ડભોઈ-ચાણોદ અને કેવડિયા સુધી રેલવે લાઈન લગભગ 32 કિલોમીટરની નાખવામાં આવી છે. આ રેલવે લાઈનમાં લગભગ 15 જેટલા ગરનાળા બનાવવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 5:23 PM

NARMADA : સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓને આવા માટે અનેક સગવડો ઉભી કરવામાં આવી છે. જેમાં સમગ્ર દેશમાંથી આવતા પ્રવાસીઓ માટે ટ્રેનની સુવિધા પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ઉભી કરી છે. ડભોઈ-ચાણોદ અને કેવડિયા સુધી રેલવે લાઈન લગભગ 32 કિલોમીટરની નાખવામાં આવી છે. આ રેલવે લાઈનમાં લગભગ 15 જેટલા ગરનાળા બનાવવામાં આવ્યા છે.

જેમાં પાણી ભરવાની સમસ્યાના કારણે ગામડાઓને તકલીફ પડી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ ને તો ત્યાં પહોંચવા માટે કોઈ તકલીફ નથી પડી રહી, પણ રેલવેની સુવિધા કરવાથી નજીકના ગ્રામજનોને તકલીફ જરૂર પડી રહી છે. જેનું કારણ છે કે બે ગામને જોડતા રસ્તામાં રેલવેએ ટ્રેક નાખી દીધો પણ ગામમાં જવા માટે ગરનાળું પણ બનાવ્યું છે.

જેથી લોકોની અવર જવર થઈ શકે પણ ગરનાળા પર શેડ ઉભો કરવામાં નથી આવ્યો. જેથી ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે. પાણી ભરવાના કારણે લોકોને જોખમે બાઈક પસાર કરવી પડે છે. તો પછી ચાલતા ગરનાળું પસાર કરવાનો વારો આવ્યો છે.

બીજું ગરનાળામાં પાણી તો ભરાય છે પણ રેલવે ટ્રેકની બાજુમાંથી જે માટી નું ધોવાણ થાય છે તે માટી પણ ગરનાળામાં આવે છે. જેથી ચાલીને જતા ઘણીવાર લોકો પડી પણ ગયા છે. હાલ તો વરસાદ એ વિરામ લીધો છે તો પાણી ઓછું છે પણ જો વરસાદ બે ત્રણ દિવસ સુધી સતત પડે તો 108 ને પણ જવામાં મુશ્કેલી પડી શકે છે.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">