Narmada: રાત્રે નર્મદા ડેમના 23 દરવાજા 1.90 મીટર જેટલા ખોલાશે 3.45 લાખ ક્યૂસેક પાણી વહેશે,નીચાણવાસમાં એલર્ટ

સરદાર સરોવર બંધ (Sardar sarovar dam) પુર નિયંત્રણ કચેરીએ વધુ એક ચેતવણી જાહેર કરી કરી છે. આજે રાત્રે દશ વાગ્યે નર્મદા  (Narmada) નદીમાં છોડવામાં આવતા પાણીનું પ્રમાણ વધીને 3.45 લાખ ક્યુસેક થશે

Narmada: રાત્રે નર્મદા ડેમના 23 દરવાજા 1.90 મીટર જેટલા ખોલાશે  3.45 લાખ ક્યૂસેક પાણી વહેશે,નીચાણવાસમાં એલર્ટ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 10:07 PM

સરદાર સરોવર બંધ (Sardar sarovar dam) પુર નિયંત્રણ કચેરીએ વધુ એક ચેતવણી જાહેર કરી કરી છે. આજે રાત્રે દશ વાગ્યે નર્મદા  (Narmada) નદીમાં છોડવામાં આવતા પાણીનું પ્રમાણ વધીને 3.45 લાખ ક્યુસેક થશે. આજે રાત્રિના 10 વાગે સરદાર સરોવર બંધના 23 દરવાજા 1.90 મીટર જેટલા ખોલીને જળાશયમાંથી નર્મદામાં 3 લાખ ક્યુસેક પાણી વહાવવામાં આવશે. આ ઉપરાંત તળ વિદ્યુત મથકોના 6 એકમમાં થી 45  હજાર ક્યુસેક પાણી નદીમાં ઉમેરાઈ રહ્યું છે.

કથાકાર જયા કિશોરી રાત્રે સૂતા પહેલા કરે છે આ કામ
મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો

નીચાણવાસમાં એલર્ટ

આમ,નર્મદા નદીમાં કુલ 3.45  લાખ ક્યુસેક પાણી ઉમેરાતા જળ પ્રવાહમાં સારો એવો વધારો થશે. તે પ્રમાણે,વડોદરા જિલ્લાના નર્મદા કાંઠાના ગામોમાં દુર્ઘટના અને જાનહાનિ અટકાવવા અત્યધિક સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે. હાલમાં જારી કરવામાં આવેલી વધુ એક ચેતવણી જણાવે છે કે રેડિયલ ગેટ્સમાં થી નર્મદામાં છોડવામાં આવતા પાણીનું પ્રમાણ સમયાંતરે વધીને 4 થી 5  લાખ ક્યુસેક થઈ શકે છે.

ગત રોજ ખોલવામાં આવ્યા છે ડેમના 23 દરવાજા

ગુજરાતના સરદાર સરોવર ડેમના કુલ 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને તેમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. મધ્યપ્રદેશમાં ખૂબ જ સારો એવો સરદાર સરોવર ડેમમાંથી હાલ 1.95 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. સાથે જ રિવરબેડ પાવરહાઉસથી 44 હજાર ક્યૂસેક પાણી છોડાયું છે. આ અગાઉ બે વર્ષ પહેલા અગાઉ 30 ઓગષ્ટ 2020ના રોજ અને તે જ વર્ષે 17 સપ્ટેમ્બર 2020ના રોજ નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ વર્ષે સારા વરસાદના પગલે ડેમમાં પાણીની સારી આવક છે. જેના પગલે ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યુ છે.

ડેમ 88.64 ટકા ભરાયો

મધ્યપ્રદેશમાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટી 135.24 મીટરે પહોંચી છે. નર્મદા ડેમમાંથી 1.95 લાખ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. જળસ્તર જાળવી રાખવા નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલાતા કાંઠા વિસ્તારના જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. નર્મદા ડેમમાંથી હાલ 4.56 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જળસ્તર જાળવી રાખવા 1.95 લાખ પાણી છોડાઇ રહ્યું છે. મહત્વનું છે કે નર્મદા ડેમની ભયજનક સપાટી 138.64 મીટર છે. અત્યાર સુધી નર્મદા ડેમ 88.64 ટકા ભરાયો છે.

Latest News Updates

જેની ઠુમ્મરે મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા સાથે કરી મુલાકાત
જેની ઠુમ્મરે મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા સાથે કરી મુલાકાત
અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે tv9 સાથે કરી ખાસ વાતચીત
અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે tv9 સાથે કરી ખાસ વાતચીત
અમદાવાદના ટ્રાવેલ્સ ગૃપે જારી કર્યા 12 ઈલેક્શન સ્પેશ્યિલ ટુર પેકેજ
અમદાવાદના ટ્રાવેલ્સ ગૃપે જારી કર્યા 12 ઈલેક્શન સ્પેશ્યિલ ટુર પેકેજ
ક્ષત્રિયોના આસ્થાના કેન્દ્ર ગધેથડ જઈ રૂપાલાએ લાલબાપુના લીધા આશિર્વાદ
ક્ષત્રિયોના આસ્થાના કેન્દ્ર ગધેથડ જઈ રૂપાલાએ લાલબાપુના લીધા આશિર્વાદ
રજપૂત સમાજની બેઠકમાં રૂપાલાએ કહ્યું બે હાથ જોડીને સમાજની માફી માગુ છું
રજપૂત સમાજની બેઠકમાં રૂપાલાએ કહ્યું બે હાથ જોડીને સમાજની માફી માગુ છું
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">