કેવડિયાની થઈ કાયાપલટ, હવે ભારતના સૌથી Best Travel Destination તરીકે મેળવી રહ્યું છે નામના
મહિલા તેમજ બાળ વિકાસ અને આયુષ રાજ્ય પ્રધાન મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના દ્રઢ સંકલ્પને કારણે નર્મદા (Narmada)જિલ્લાનું આ શહેર હવે વિશ્વના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે
નર્મદા જિલ્લાના રાજપીપળા (Rajpipla)નજીક આવેલું કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના (SOU)કારણે દેશવિદેશમાં જાણીતું બની ગયું છે. ત્યારે હવે મહિલા તેમજ બાળ વિકાસ અને આયુષ રાજ્ય પ્રધાન મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના દ્રઢ સંકલ્પને કારણે નર્મદા (Narmada)જિલ્લાનું આ શહેર હવે વિશ્વના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને જગતના સૌથી મોટા સ્ટેચ્યૂને નિહાળવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે.
સાંસદ મહેન્દ્ર મુંજપરાએ ANIને જણાવ્યું હતું કે કરીને જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તાર કેવડિયાની કાયાપલટ કરવામાં પ્રધાનમંત્રી મોદીનો મોટો ફાળો છે અને આદિવાસી વિસ્તાર કેવડિયા હવે ભારતના સૌથી સારા પ્રવાસન સ્થાનોમાં બદલાઈ ગયું છે. મહેન્દ્ર મુંજપરાએ નિવેદન આપ્યું છે કે નર્મદા જિલ્લાનું કેવડિયા શહેર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રઢ સંકલ્પ અને પ્રયાસના કારણે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. સરદાર વલ્લભભાઈ પટેલે એક ભારત શ્રેષ્ઠ ભારતનું સપનું જોયું હતું આ સ્વપ્નનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાકાર કર્યું છે. મહત્વનું છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ નર્મદા જિલ્લામાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
નર્મદાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ્પ્રવાસન સર્કિટ ઉભી કરવામાં આવી છે જેમાં કેકટસ ગાર્ડન, એકતા નગર પરિસરની મુલાકાત, ઇકો ટૂરિઝમ સહિત ઉનાળાની ઋતુમાં કેસૂડના જંગલોની મુલાકાત કરાવાવમાં આવે છે અને કેસૂડાની બનાવટોનું વેચાણ કરવામાં આવે છે સાથે અહીં ચાલતી પિન્ક ઓટો દ્વારા આદિવાસી મહિલાઓ રોજગારી મેળવી રહી છે.
MoS Mahendra credits PM Modi for transformation of Gujarat’s Kevadia tribal area into tourist hub
Read @ANI Story | https://t.co/IAwP1BvwS2#PMModi #Gujarat pic.twitter.com/NhZgef4GRD
— ANI Digital (@ani_digital) June 17, 2022