નર્મદા નદીના પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત,પાણીનાં પ્રવાહનાં કારણે રાજપીપળા કેવડિયાનો સંપર્ક સંપૂર્ણપણે તૂટ્યો,રાજપીપળા જવા માટે વાયા ડભોઈથી 60 કિલોમીટર વધુ અંતર કાપવું પડશે
નર્મદા નદીના પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે જેને લઈને ગોરા ગામ પાસે નર્મદાના પાણી રોડ પર ફરી વળ્યા હતા. પાણીનાં પ્રવાહનાં કારણે રાજપીપળા કેવડિયાનો સંપર્ક સંપૂર્ણપણે તૂટ્યો છે કેમકે ગઈકાલે રાત્રે ગરૂડેશ્વરના પુલના પાયામાં ધોવાણ થયું હતું અને પુલ બંધ કરાતા ગોરા તરફ ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો. રસ્તા પર પાણી ફરી વળતા મોટી મુશ્કેલી […]
નર્મદા નદીના પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે જેને લઈને ગોરા ગામ પાસે નર્મદાના પાણી રોડ પર ફરી વળ્યા હતા. પાણીનાં પ્રવાહનાં કારણે રાજપીપળા કેવડિયાનો સંપર્ક સંપૂર્ણપણે તૂટ્યો છે કેમકે ગઈકાલે રાત્રે ગરૂડેશ્વરના પુલના પાયામાં ધોવાણ થયું હતું અને પુલ બંધ કરાતા ગોરા તરફ ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો. રસ્તા પર પાણી ફરી વળતા મોટી મુશ્કેલી સર્જાઈ છે અને હવે છોટાઉદેપુર તરફથી રાજપીપળા રોડ ટ્રાફિકથી પ્રભાવિત થયો છે. રાજપીપળા જવા માટે વાયા ડભોઈથી 60 કિલોમીટર વધુ અંતર કાપવું પડશે. પાણીનાં પ્રવાહનાં કારણે વાહનો ફસાવાની ઘટના પણ સામે આવી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો