નર્મદા ડેમની જળસપાટી વધતા 2 લાખ ક્યુસેક પાણી છોડવાની કવાયત, 30થી વધુ ગામ એલર્ટ, 50 લોકોનું સ્થળાંતર
નર્મદા ડેમની જળસપાટી વધતા ડેમમાંથી 2 લાખ કયુસેક પાણી છોડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેના પગલે ભરૂચ અને નર્મદા જિલ્લામાં 30થી વધુ ગામના લોકોને સચેત રહેવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે તો તકેદારીનાં ભાગરૂપે ગોલ્ડન બ્રીજ નજીક આવેલી ઝૂપડપટ્ટીમાંથી 50 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે. ભરૂચ: નર્મદા ડેમની જળસપાટી વધતા 2 લાખ ક્યુસેક […]
નર્મદા ડેમની જળસપાટી વધતા ડેમમાંથી 2 લાખ કયુસેક પાણી છોડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેના પગલે ભરૂચ અને નર્મદા જિલ્લામાં 30થી વધુ ગામના લોકોને સચેત રહેવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે તો તકેદારીનાં ભાગરૂપે ગોલ્ડન બ્રીજ નજીક આવેલી ઝૂપડપટ્ટીમાંથી 50 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે.
ભરૂચ: નર્મદા ડેમની જળસપાટી વધતા 2 લાખ ક્યુસેક પાણી છોડવાની કવાયત, 30થી વધુ ગામ એલર્ટ
ભરૂચ: નર્મદા ડેમની જળસપાટી વધતા 2 લાખ ક્યુસેક પાણી છોડવાની કવાયત, 30થી વધુ ગામ એલર્ટ, 50 લોકોનું સ્થળાંતર#TV9News #TV9Live #Rain #narmadariver #NarmadaDam #SardarSarovarDam #waterlevelincrease #bharuch #FloodAlert #tv9gujarati #livenewsAnkit Modi
TV9 Gujarati यांनी वर पोस्ट केले बुधवार, २६ ऑगस्ट, २०२०
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થતાં ડેમમાંથી નર્મદા નદીમાં 2 લાખ કયુસેક સુધી પાણી છોડવા કવાયત ચાલી રહી છે. ત્યારે ડેમના ડાઉન સ્ટ્રીમમાં આવેલ ભરૂચ નજીકથી પસાર થતી નર્મદા નદીનું જળ સ્તર વધવાની સંભાવના છે. જેના પગલે તંત્ર એલર્ટ પર આવી ગયું છે. તંત્ર દ્વારા નર્મદા નદીના કિનારે આવેલ 30 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
ગોલ્ડનબ્રીજ નજીક નર્મદા નદી કિનારે ઝૂપડપટ્ટીમાં રહેતા 50 જેટલા લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. આ લોકોને નજીકના સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હાલ નર્મદા નદીની જળ સપાટી 14 ફૂટ છે, જ્યારે નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે. ત્યારે હાલ ચિંતાની કોઈ પરિસ્થિતિ નથી જો કે તંત્ર દ્વારા અગમચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે અને સંભવિત પુરની પરિસ્થિતિ સામે કામગીરી કરવામાં આવી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ભરૂચ નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન નરેશ સુથારવાળાએ જણાવ્યું હતું કે હાલ કોઈ જોખમી પરિસ્થિતિની ચેતવણી નથી. પરંતુ અગમચેતીના પગલે લોકોને ખસેડાયા છે તો સ્થાનિકોનું જણાવવું છે કે તેમને ખસી જવા સૂચના આપી તંત્ર ખસી જાય છે, પરંતુ સામાન અને લોકોને ખસેડવા જેવી બાબતોમાં તંત્ર કોઈપણ પ્રકારની મદદ કરતુ નથી.