મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસનું આંદોલન નિષ્ફળ ગણાવ્યું, કહ્યું કે, કોંગ્રેસ ખેડૂતોના નામે રાજકારણ કરે છે
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસનું આંદોલન નિષ્ફળ ગણાવ્યું. મહેસાણામાં વિવિધ યોજનાઓના ખાતમુર્હૂત પ્રસંગમાં કોંગ્રેસ પર આક્ષેપ લગાવતા CM રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસ ખેડૂતોના નામે રાજકારણ કરે છે અને એટલે જ આજે ગુજરાતની જનતા અને ખેડૂતોએ કોંગ્રેસના આંદોલનમાં સાથ ન આપીને, બંધને બિલકુલ પ્રતિસાદ નથી આપ્યો. મહત્વનું છે કે આજે CM રૂપાણીના હસ્તે મહેસાણામાં પાણી પુરવઠા વિભાગની […]
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસનું આંદોલન નિષ્ફળ ગણાવ્યું. મહેસાણામાં વિવિધ યોજનાઓના ખાતમુર્હૂત પ્રસંગમાં કોંગ્રેસ પર આક્ષેપ લગાવતા CM રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસ ખેડૂતોના નામે રાજકારણ કરે છે અને એટલે જ આજે ગુજરાતની જનતા અને ખેડૂતોએ કોંગ્રેસના આંદોલનમાં સાથ ન આપીને, બંધને બિલકુલ પ્રતિસાદ નથી આપ્યો. મહત્વનું છે કે આજે CM રૂપાણીના હસ્તે મહેસાણામાં પાણી પુરવઠા વિભાગની 287 કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. બહુચરાજીમાં બનનાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ મહેસાણાથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો