Mother’s Day : બે માતાઓની કોરોના મોરચે સંઘર્ષ ગાથા, ડો.જ્યોતિની સાથે સાસુમા પણ અદા કરી રહ્યાં છે લડવૈયાની ભૂમિકા

Mother's Day : માં નવદુર્ગા નવ હાથો દ્વારા લોક કલ્યાણ અને દુષ્ટોનો સંહાર કરે છે. એમની માફક જ કોરોના કાળમાં મોટાભાગની માતાઓ અનેક મોરચે લડી રહી છે. અને આજના માતૃવંદના દિવસે આ માતાઓ આદર અને વંદનને પાત્ર છે.

Mother's Day : બે માતાઓની કોરોના મોરચે સંઘર્ષ ગાથા,  ડો.જ્યોતિની સાથે સાસુમા પણ અદા કરી રહ્યાં છે લડવૈયાની ભૂમિકા
તબીબ જયોતિ ગડકરીની સંઘર્ષગાથા
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: May 08, 2021 | 5:40 PM

Mother’s Day : માં નવદુર્ગા નવ હાથો દ્વારા લોક કલ્યાણ અને દુષ્ટોનો સંહાર કરે છે. એમની માફક જ કોરોના કાળમાં મોટાભાગની માતાઓ અનેક મોરચે લડી રહી છે. અને આજના માતૃવંદના દિવસે આ માતાઓ આદર અને વંદનને પાત્ર છે.

વડોદરા મહાનગર પાલિકાના નાગરવાડા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત ડો.જ્યોતિ ગડકરીની સાથે જાણે કે તેમના 63 વર્ષની ઉંમરના તેમના સાસુમા છાયા સુરેન્દ્ર ગડકરી પણ કોરોના લડવૈયાની ભૂમિકા અદા કરી રહ્યા છે.

ગયા વર્ષે જ્યારે નાગરવાડામાં કોરોના ફાટી નીકળ્યો ત્યારે તેનો પ્રથમ કેસ આ ડોકટર અને તેમની ટીમે જ હેન્ડલ કર્યો હતો.તે પછી તો સતત કેસો વધતા ગયા અને કુટુંબના સભ્યોને ચેપ સામે સુરક્ષિત રાખવા ડો.જ્યોતિ સહિત આખી ટીમને 21 દિવસ હોટલમાં રહેવું પડ્યું ત્યારે તેમના સાસુમાએ પોતાના તબીબ પુત્ર,બે પૌત્રો અને ઘરને સંભાળ્યું.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

તો તાજેતરમાં જ્યારે ડો.જ્યોતિના તબીબ પતિ ડો.નિખિલ સંક્રમિત થયાં ત્યારે તેમને એક સાથે જાણે કે ત્રણ મોરચા સંભાળ્યા. તેમના સાસુ મોટી ઉંમરના અને ડાયાબીટીક હોવાથી તેમને ચેપથી બચાવવા નણંદના ઘેર મોકલ્યા.બાળકોને નાનીના ઘેર મોકલ્યા.અને ડો. જ્યોતિએ આરોગ્યની ફરજો સહિત હોમ કવોરેન્ટાઈન પતિની કાળજી અને દેખભાળ સાથે ઘર સંભાળ્યું.આમ,જુવો તો છેલ્લા લગભગ સવા વર્ષથી તેઓ આરોગ્યની કપરી ફરજો સાથે અનેક મોરચે લડી રહ્યાં છે.

ગયા વર્ષે તો માત્ર કોરોના હતો જ્યારે હાલમાં કોરોનાનું ટેસ્ટીંગ, ઘરે સારવાર હેઠળના દર્દીઓ સાથે સંપર્ક અને તેમની સાર સંભાળ, કોરોના રસીકરણ અને નિયમિત આરોગ્ય કાર્યક્રમોનો અમલ જેવા અનેકવિધ કામો તેઓ અને તેમની ટીમ કરી રહી છે.

તેમાં તાજેતરમાં જન્મ મરણની નોંધણી નું કામ ઉમેરાયું છે.તેમના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ક્ષેત્રમાં સહુથી મોટી સયાજી સહિત અન્ય હોસ્પિટલો આવેલી છે એટલે નોંધણીનો ખૂબ લોડ રહે છે. ડો.જ્યોતિ કહે છે નિયમિત ઓફિસ અવર્સમાં કામ પૂરું થાય એવું જ નથી એટલે ઘર પણ જાણે ઓફિસ બની ગઈ છે અને ઘરમાં પણ ઓફિસ કામ માટે સમય ફાળવવો પડે છે.

મારા બાળકો કોરોના ડીસિપ્લીન્ડ થઈ ગયા છે : ડો.જ્યોતિ કહે છે કે હું પણ તબીબ અને મારા પતિ પણ તબીબ,અમારે સતત સંક્રમણના વાતાવરણમાં કામ કરવાનું એટલે ઘેર જઈએ ત્યારે સાસુમા,દીકરો અને દીકરીને સલામત રાખવા વિવિધ કાળજી રાખવી પડે. જો કે અમારા બાળકો જાણે કે કોરોના ડીસિપ્લિંડ એટલે કે કોરોના તકેદારીના આદિ બની ગયાં છે.એટલે અમે ઘેર જઈએ અને ચોખ્ખા થવાની પ્રક્રિયા પૂરી કરી લઈએ ત્યાં સુધી અમારી પાસે આવતા જ નથી.

નાગરવાડાની કામગીરી એક યાદગાર અનુભવ: નાગરવાડામાં જ્યારે કોરોના વિસ્ફોટ થયો ત્યારે લગભગ પ્રત્યેક ઘરમાં કેસ હતો.રોગ નવો અને અજાણ્યો,લોકોમાં તેની સમજણ ઓછી અને ડર વધારે,અમારા માટે પણ આ કામગીરી સાવ નવી હતી.પરંતુ એ સમયે એ વિસ્તારના આગેવાનો એ લોકોને સમજાવવા સહિત ઘણી મદદ કરી એટલે કામ સરળ બન્યું.જ્યોતિબેન એ જણાવ્યું કે એ વિસ્તારના તે સમયના દર્દીઓ જેમની અમે સારસંભાળ લીધી હતી તેઓ આજે પણ જ્યારે યાદ કરે છે,અન્ય જરૂરિયાતવાળા લોકોને અમારી પાસે મોકલે છે ત્યારે કશુંક સારું,લોક ઉપયોગી કામ કર્યાનો આત્મ સંતોષ મળે છે.

તેઓ કહે છે કે છેલ્લા સવા વર્ષ થી હું અને મારી ટીમ જાહેર રજાઓ અને તહેવારોના દિવસે પણ કામ કરીએ છે.જાણે કે અમે રજા શબ્દનો અર્થ જ ભૂલી ગયા છે.એક મીડિયા ગ્રુપ,મહાનગર પાલિકા કર્મચારી મંડળ અને મહાનગર પાલિકા એ તેમના આ સંઘર્ષ ને એવોર્ડ થી નવાજ્યો છે.

આમ, જ્યોતિબેન અને તેમના જેવી કામકાજી મહિલાઓ,તેમના સાસુમા જેવી ગૃહિણીઓ કોરોના સામે નવ હાથ વાળા માં નવદુર્ગાની જેમ થાક્યા વગર એક સાથે અનેક મોરચે લડી રહ્યાં છે. ખરેખર તો કોરોના હોય કે અન્ય કોઈ કટોકટી આ મહિલાઓ અવિરત પરિશ્રમ કરતી જ રહે છે.આ સમગ્ર માતૃ શક્તિ વંદન,નમન અને આદરને પાત્ર છે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">