સુરતમાં ફાયર એનઓસી વિના ઘમઘમતી 100થી વધુ હોસ્પિટલ, ફાયર બ્રિગેડ નોટીસ આપીને માનશે સંતોષ
રાજકોટની શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગ બાદ, સુરત ફાયર બ્રિગેડ અને સુરત મહાનગરપાલિકા હરકતમાં આવ્યુ છે. સુરત મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડે બેઠક બોલાવીને ફાયર એનઓસી ના હોય તેની સામે તવાઈ બોલાવવાનું નક્કી કર્યું છે. સુરતમા આવેલી 800 પૈકી 100 જેટલી હોસ્પિટલોમાં તો ફાયર એનઓસી જ નથી. આવી હોસ્પિટલોને ફાયર એનઓસી માટે ફરજ પાડવામાં આવશે. સુરત ફાયર […]
રાજકોટની શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગ બાદ, સુરત ફાયર બ્રિગેડ અને સુરત મહાનગરપાલિકા હરકતમાં આવ્યુ છે. સુરત મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડે બેઠક બોલાવીને ફાયર એનઓસી ના હોય તેની સામે તવાઈ બોલાવવાનું નક્કી કર્યું છે. સુરતમા આવેલી 800 પૈકી 100 જેટલી હોસ્પિટલોમાં તો ફાયર એનઓસી જ નથી. આવી હોસ્પિટલોને ફાયર એનઓસી માટે ફરજ પાડવામાં આવશે.
સુરત ફાયર વિભાગની તપાસ દરમ્યાન હોસ્પિટલોમાં એસીના કારણે પાવર લોડ વધુ હોવાનું સામે આવતા નોટિસની કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટની ઘટના બાદ હમણાં સુધી સર્વે કરી આઠસો જેટલી હોસ્પિટલોને નોટિસ બજાવવામાં આવી છે.
માત્ર 101 હોસ્પિટલો દ્વારા જ ફાયરની એનઓસી લેવામાં આવી છે..હોસ્પિટલોમાં ફાયર દ્વારા વાયરિંગ અંગે ચેકીંગ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલોમાં ગ્લાસના એલિવેશનને હટાવવા સૂચના આપવામાં આવી છે. શહેરી વિકાસ ખાતા સાથે ખાસ સંકલન સાંધી પાલિકાના ફાયર વિભાગ દ્વારા ખાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો