રાજકોટ-ચોટીલા હાઇવે પર મુસાફર ભરેલી એસ.ટી.બસ પલટી, તમામ મુસાફરો અને ડ્રાયવરનો આબાદ બચાવ
આ ઘટના બામણબોર જીઆઇડીસી નજીક ઘટી હતી. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં તમામ મુસાફરોનો અને ડ્રાયવરનો આબાદ બચાવ હતો
ગુજરાતમાં(Gujarat)તહેવારોના દિવસોમાં અકસ્માતની(Accident)ઘટનાઓ વધી રહી છે. જેમાં રાજકોટ-ચોટીલા હાઇવે(Chotila Hiway)પર એસટી બસે પલટી જવાની ઘટના સામે આવી છે. જેમાં દાહોદ-રાજકોટ રૂટની બસ પલટી ગઇ હતી. આ સમયે બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા.
આ ઘટના બામણબોર જીઆઇડીસી નજીક ઘટી હતી. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં તમામ મુસાફરોનો અને ડ્રાયવરનો આબાદ બચાવ હતો. તેમજ આ દુર્ઘટનામાં બસમાં બેસેલા મુસાફરોને સામાન્ય ઇજા થઇ હતી. પરંતુ ચોટીલા હાઇવે પર અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક જામ થયો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં આ વિસ્તારોમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
આ પણ વાંચો : દેવભૂમિ દ્વારકામાં પણ ભક્તોની ભારે ભીડ, હોટલમાં હાઉસફૂલના પાટિયા
Latest Videos
Latest News