મોરારિ બાપુ સાથે ગેરવર્તન મામલે સૌરાષ્ટ્રમાં પબુભા સામે રોષ, આવતીકાલે મહુવા બંધનું એલાન
મોરારિ બાપુ સાથે ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે કરી ગેર વર્તણૂંકના સૌરાષ્ટ્રમાં આકરા પડઘા પડ્યા. મોરારિ બાપુના સમર્થનમાં સંત સમાજ, સંસ્થાઓ અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવ્યા. ભાવનગરનું તલગાજરડા ગામ બાપુના સમર્થનમાં બંધ રહ્યું, તો આવતીકાલે મહુવા બંધનું એલાન આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરમાં મહામંડલેશ્વર કનિરામ બાપુની અધ્યક્ષતામાં સાધુ સમાજની બેઠક પણ મળી. અમરેલીમાં સાધુ સમાજે રામધૂન […]
મોરારિ બાપુ સાથે ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે કરી ગેર વર્તણૂંકના સૌરાષ્ટ્રમાં આકરા પડઘા પડ્યા. મોરારિ બાપુના સમર્થનમાં સંત સમાજ, સંસ્થાઓ અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવ્યા. ભાવનગરનું તલગાજરડા ગામ બાપુના સમર્થનમાં બંધ રહ્યું, તો આવતીકાલે મહુવા બંધનું એલાન આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરમાં મહામંડલેશ્વર કનિરામ બાપુની અધ્યક્ષતામાં સાધુ સમાજની બેઠક પણ મળી. અમરેલીમાં સાધુ સમાજે રામધૂન બોલાવીને વિરોધ દર્શાવ્યો. જામનગરના આહિર સમાજે સમાજે માગ કરી કે પબુભા માણેક સમગ્ર મામલે બાપુની માફી માગે. ભાવનગરમાં વૈષ્ણવ સમાજ, રામ માનસ સંસ્થા, મુસ્લિમ આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું.
આ પણ વાંચો: લેહ: સરહદ પર ચીની સૈનિકોની હરકતો પર ભારતની બાજનજર, ભારતે ફાઈટર જેટની તૈનાતી વધારી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો