Monsoon: કેરળમાં 31 મેના રોજ અને ગુજરાતમાં 15 જૂને ચોમાસાનું આગમન થવાની શક્યતા

રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ગરમી અને બફારાનું પ્રમાણ વધશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 દિવસ બાદ સમગ્ર રાજ્યના લોકોને ગરમીમાં થોડી રાહત મળશે.

| Updated on: May 24, 2021 | 5:57 PM

રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ગરમી અને બફારાનું પ્રમાણ વધશે. ત્યારબાદ ગરમીના પ્રમાણમાં ઘટાડો થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 દિવસ બાદ સમગ્ર રાજ્યના લોકોને ગરમીમાં થોડી રાહત મળશે. ચોમાસાની વાત કરીએ તો ગુજરાતમાં 15 જૂને ચોમાસું આવે તેવી શક્યતા છે. જોકે તે પહેલા 31 મેના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.

તૌકતે વાવાઝોડાની વિદાય પછી પણ હજુ કમોસમી વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. આગામી 24 કલાકમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળો પર હળવા વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે.

હજુ ભેજનું ઉંચું પ્રમાણ હોય રાત્રે ઠંડક અનુભવાઈ રહી છે. 24 કલાક પછી ગરમીનો પારો ઉંચો જશે તેમ હવામાન ખાતાનું કહેવું છે. આજે રાજકોટ અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા, દીવ, દમણ, દાદરા, નગર હવેલીમાં વાતાવરણ સુક્કું રહેશે.

તા.27 થી 28 ની વચ્ચે હળવાથી ભારે વરસાદ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસશે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને દીવમાં સુક્કું વાતાવરણ રહેશે.

હાલમાં દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન નીચલા સ્તર પર ફૂંકાઈ રહ્યો છે. તેના કારણે ભેજનું પ્રમાણે સવારે ૮-૩૦ વાગ્યે ૭૩ ટકા અને સાંજે ૫-૩૦ વાગ્યે ૪૯ ટકા જેટલું ઉંચું રહે છે. હવામાન ખાતાની આગાહી મુજબ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી રહેશે.

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">