ગુજરાતમાં અતિવૃષ્ટિથી પાકને વ્યાપક નુકસાન, રાજ્યના 15 જિલ્લામાં પાક નુકસાની સર્વેનો પ્રારંભ
રાજ્યમાં અતિવૃષ્ટિને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવેતરને વ્યાપક નુકસાન થયું છે. રાજ્યના કૃષિ પ્રધાને 20 સપ્ટેમ્બર સુધીમાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. આમ છતાં 18 જિલ્લામાં હજુ પાક નુકસાનના સર્વેના શ્રી ગણેશ પણ થયા નથી. રાજ્યના 15 જિલ્લામાં પાક નુકસાનીનો સર્વે શરૂ થયો છે. જો કે કૃષિ પ્રધાનના આદેશ અનુસાર 15 […]
રાજ્યમાં અતિવૃષ્ટિને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવેતરને વ્યાપક નુકસાન થયું છે. રાજ્યના કૃષિ પ્રધાને 20 સપ્ટેમ્બર સુધીમાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. આમ છતાં 18 જિલ્લામાં હજુ પાક નુકસાનના સર્વેના શ્રી ગણેશ પણ થયા નથી. રાજ્યના 15 જિલ્લામાં પાક નુકસાનીનો સર્વે શરૂ થયો છે. જો કે કૃષિ પ્રધાનના આદેશ અનુસાર 15 દિવસમાં પાક સર્વે પૂર્ણ થાય તેવી શક્યતા ઓછી છે. વરસાદે વિરામ લીધાને અઠવાડિયું પસાર થયું છે ત્યારે ખેડૂતો ઝડપથી સર્વેની કામગીરી પૂર્ણ થાય અને વળતર મળે તેવી માગણી કરી રહ્યાં છે. રાજ્યમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 1012.12 મીમી વરસાદ ખાબક્યો છે. પાછલા 30 વર્ષની સરેરાશ 32.24 ઈંચની સરખામણીએ 121.79 ટકા વરસાદ વરસ્યો છે. આ ભારે વરસાદને પગલે નદીઓમાં પૂર આવતા ખેતરો તરબોળ બન્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો