વડોદરા: કેન્દ્રએ વતન જવા આપી પરવાનગી, પરપ્રાંતિયો અરજી કરવા પહોંચ્યા કલેક્ટર કચેરી
લૉકડાઉનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ, સગા-સંબંધી કે મજૂરોને હવે વહેલી તકે ઘરે પરત જવા મળશે તેવી આશા જાગી છે. કેન્દ્ર સરકારના આદેશ બાદ વડોદરા કલેક્ટર કચેરીએ નોંધણીની વ્યવસ્થા કરાઈ છે, જ્યાં નોંધણી કરાવવા લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા. આ નોંધણી બાદ સંખ્યાના આધારે તેમના પરત ફરવાની ચોક્કસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. કોરોના વાઈરસના લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિયોને ઇ-પાસ આપીને ઘરે […]
લૉકડાઉનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ, સગા-સંબંધી કે મજૂરોને હવે વહેલી તકે ઘરે પરત જવા મળશે તેવી આશા જાગી છે. કેન્દ્ર સરકારના આદેશ બાદ વડોદરા કલેક્ટર કચેરીએ નોંધણીની વ્યવસ્થા કરાઈ છે, જ્યાં નોંધણી કરાવવા લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા. આ નોંધણી બાદ સંખ્યાના આધારે તેમના પરત ફરવાની ચોક્કસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. કોરોના વાઈરસના લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિયોને ઇ-પાસ આપીને ઘરે મોકલવા માટે 9 ચેકપોસ્ટ બનાવવામાં આવી છે, આ ચેકપોસ્ટ પર પોલીસ, રેવન્યુ અને આરોગ્યની ટીમ તૈનાત રહેશે. જ્યાં સ્ક્રિનિંગ બાદ જ પરપ્રાંતિય મજૂરો, શ્રમિકો, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ પોતાના વતન તરફ દેવામાં આવશે.
આ પણ વાંચો: કોરોના સામેના જંગમાં લોકડાઉન 3.0ની સરકારે કરી જાહેરાત, 17મે સુધી રહેશે લાગુ
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો