Mehsana : વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત જિલ્લામાં બે વિકાસ રથ ફરશે, કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાશે

મહેસાણા (Mehsana)જિલ્લામાં તારીખ 5 જુલાઈથી તારીખ 19 જુલાઈ દરમિયાન જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બે વિકાસ રથ ગામેગામ ફરી જનજન સુધી પહોંચશે

Mehsana : વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત જિલ્લામાં બે વિકાસ રથ ફરશે, કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાશે
Mehsana Vikas Rath Meeting
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 4:52 PM

ગુજરાતના(Gujarat) 20 વર્ષના  વિકાસને વંદન કરવા અને જન જનને ગુજરાતની વિકાસ યાત્રાથી (Vikas Yatra) વાકેફ કરવા સમગ્ર ગુજરાતમાં ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’નું આયોજન કરાયું છે. મહેસાણા (Mehsana)જિલ્લામાં તારીખ 5 જુલાઈથી તારીખ 19 જુલાઈ દરમિયાન જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બે વિકાસ રથ ગામેગામ ફરી જનજન સુધી પહોંચશે.મહેસાણા જિલ્લામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ 5 મી જુલાઈએ સાંજે 5.00 વાગ્યે મહેસાણા તાલુકાના જોરણંગ ગામેથી વંદે ગુજરાત વિકાસયાત્રાનો શુભારંભ કરાવનાર છે.

15 દિવસ દરમિયાન મહેસાણા જિલ્લામાં રૂપિયા 347.99 લાખના 169 કામોનું લોકાર્પણ કરાશે

ગુજરાતે 20 વર્ષમાં વિકાસની હરણફાળ ભરી છે. અનેક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે. પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સુકાન સંભાળ્યું હતું ત્યારથી ગુજરાતે સિદ્ધિઓના નવા શિખરો સર કર્યા છે. ગુજરાતની આ વિકાસયાત્રાને ગામેગામ લઈ જવાની સાથો સાથ લોકોને મળતા લાભો ગામેગામ જઈને પહોંચાડવામાં આવશે. મહેસાણા જિલ્લામાં લોકહિતની વિવિધ યોજનાઓના 12,019 લાભાર્થીઓને રૂપિયા 12720.23 લાખના વિવિઘ સહાયના લાભો ઘર આંગણે જઈને અપાશે. એટલું જ નહીં, વંદે ગુજરાત વિકાસયાત્રાના 15 દિવસ દરમિયાન મહેસાણા જિલ્લામાં રૂપિયા 347.99 લાખના 169 કામોનું લોકાર્પણ અને રૂપિયા 158.61 કરોડના 104 નવા વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાશે.

વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન

જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં બે રથ અને શહેરી વિસ્તારમાં એક રથ પરિભ્રમણ કરશે. મહેસાણા જિલ્લામાં વંદે ગુજરાત વિકાસયાત્રા નાગરિકોને ગુજરાતની ગૌરવવંતી વિકાસગાથાથી વાકેફ તો કરશે જ, સાથોસાથ ભાવિ વિકાસનો રાજમાર્ગ પણ કંડારશે.મહેસાણા જિલ્લામાં ત્રણ રથ વિવિધ ગામો અને શહેરોમાં પરીભ્રમણ કરી નાગરિકોને જાગૃત કરનાર છે.આ 15 દિવસોમાં સવારે 09-30 કલાકથી 11-30 કલાક તેમજ સાંજે 04-30 થી 06-30 કલાક ગામમાં પરીભ્રમણ કરનાર છે.આ ઉપરાંત જે ગામમાં રથ આવનાર છે તેના દિવસે શિક્ષણ વિભાગ દ્વારા સવારે 07 કલાકે પ્રભાતફેરી,આરોગ્ય વિભાગ દ્વારા સવારે 08 કલાકે યોગાભ્યાસ અને વન અને પર્યાવરણ વિભાગ દ્વારા સવારે 08-30 કલાકે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ ઉપરાંત વિકાસ રથના કાર્યક્રમના દિવસે બપોરે 01 કલાકથી 04 કલાક સુધી આયુષ્યમાન ભારત પી.એમ.જે..વાય કાર્ડ વિતરણ,કે.વાય.સી અપડેટ,તેમજ નિરામય ગુજરાત આરોગ્ય કેમ્પનુ આયોજન થનાર છે.આ દિવસે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિરણ,હુકમ વિતરણ,પ્રમાણપત્ર,સનદ અને કિટ વિતરણનું આયોજન કરાયું છે.જિલ્લામાં 05 જુલાઇથી પંદર દિવસ દરમિયાન યોજાનાર વંદે ગુજરાત વિકાસ યાત્રાના સફળ આયોજન માટે ઇન્ચાર્જ જિલ્લા કલેકટર ડો ઓમ પ્રકાશે વિવિધ સૂચનો કર્યા હતા.

વંદે ગુજરાત વિકાસ યાત્રાની યોજાયેલ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા,નાયબ જિલ્લા વિકાસ અધિકારી અમીબેન,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સહિત જિલ્લા,તાલુકા અને પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">