Mehsana : ઉત્તર ગુજરાતના નાગરિકોને રામદેવરા જવા-આવવા માટે જોધપુર સુધીની ટ્રેનને જેસલમેર સુધી લંબાવાઇ
સાબરમતી-જોધપુર-જેસલમેર ની આ સીધી દૈનિક ટ્રેન નો લાભ મહેસાણા(Mehsana)પાટણ, બનાસકાંઠા સહીત અમદાવાદ અને સમગ્ર ઉત્તર ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓ ને મળશે અને રામદેવરાના પવિત્ર સ્થળ પર આવેલા રામદેવ પીરના દર્શન કરવા સરળતાથી જઈ શકાશે.
ગુજરાતમાં મહેસાણા (Mehsana )અને સમગ્ર ઉત્તર ગુજરાતના(Gujarat)નાગરિકોને રામદેવરા જવા-આવવા માટે સાબરમતીથી જોધપુર સુધીની ટ્રેનને જેસલમેર(Jaisalmer)સુધી લંબાવવામાં આવી. જેમાં મહેસાણાના સાંસદ શારદાબેન પટેલની વધુ એક માંગણી ઉપર રેલવે મંત્રાલયે મહોર મારી છે. જેમાં ઉત્તર ગુજરાતમાંથી રામદેવરા જવા માટે સાબરમતી થી જોધપુર (ટ્રેન નં 14804 ) ટ્રેન ચાલતી હતી. આ ગાડી જોધપુર સવારે 6 વાગે જોધપુર પહોંચ્યા બાદ 7.05 વાગે જોધપુર થી જેસલમેર (ટ્રેન નં 14810 ) ના સ્વરૂપે જેસલમેર જતી હતી. જેસલમેર 12.40 વાગે ટ્રેન પહોંચ્યા પછી તે જ ટ્રેન 14809 નંબર થી 3.00 વાગે જેસલમેર થી જોધપુર સુધી રૂપાંતરિત થતી હતી. જે રાત્રે 9.10 વાગ્યે જોધપુર આવતી હતી અને આ જ ટ્રેન 10 મિનિટ પછી જોધપુર થી 14803 નંબર થી 9.20 વાગ્યે સાબરમતી માટે રવાના થતી હતી.
રામદેવરાની મુલાકાતે જતા આવતા શ્રદ્ધાળુઓને જોધપુર થી રામદેવરા જવા માટે નવી ટિકિટ અને કન્ફર્મેશનને લગતા પ્રશ્નોના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જેમાં સંસદસભ્ય શારદાબેન પટેલના ધ્યાને આ મુશ્કેલી આવતા તેમણે રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશને રજૂઆત કરી હતી કે આ એક જ ટ્રેન જુદા જુદા નંબરો થી 2 ભાગમાં ચાલે છે તો તેને સળંગ એક જ ટ્રેન કરી દેવાથી મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાતના નાગરિકોને રામદેવરા જવા-આવવા માટે સીધી દૈનિક ટ્રેન નો લાભ મળી શકે તેમ છે.
આ રજૂઆતને દયાને લઇ રેલવે મંત્રી દ્વારા તારીખ 31/૦7/2022 થી ગાડી નંબર- 14803 જેસલમેર થી સાબરમતી તથા તારીખ 01/08/2022 થી ગાડી નંબર- 14804 સાબરમતી થી જેસલમેર સુધી કરી દેવામાં આવી છે.સાબરમતી-જોધપુર-જેસલમેર ની આ સીધી દૈનિક ટ્રેન નો લાભ મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહીત અમદાવાદ અને સમગ્ર ઉત્તર ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓ ને મળશે અને રામદેવરાના પવિત્ર સ્થળ પર આવેલા રામદેવ પીરના દર્શન કરવા સરળતાથી જઈ શકાશે.સંસદ સભ્ય શારદાબેન પટેલે રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોશજી અને રેલ મંત્રાલયનો આભાર માન્યો હતો.