Mehsana : ઉત્તર ગુજરાતના નાગરિકોને રામદેવરા જવા-આવવા માટે જોધપુર સુધીની ટ્રેનને જેસલમેર સુધી લંબાવાઇ

સાબરમતી-જોધપુર-જેસલમેર ની આ સીધી દૈનિક ટ્રેન નો લાભ મહેસાણા(Mehsana)પાટણ, બનાસકાંઠા સહીત અમદાવાદ અને સમગ્ર ઉત્તર ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓ ને મળશે અને રામદેવરાના પવિત્ર સ્થળ પર આવેલા રામદેવ પીરના દર્શન કરવા સરળતાથી જઈ શકાશે.

Mehsana : ઉત્તર ગુજરાતના નાગરિકોને રામદેવરા જવા-આવવા માટે જોધપુર સુધીની ટ્રેનને જેસલમેર સુધી લંબાવાઇ
Mehsana Railway StationImage Credit source: File Image
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Jul 27, 2022 | 4:36 PM

ગુજરાતમાં મહેસાણા (Mehsana )અને સમગ્ર ઉત્તર ગુજરાતના(Gujarat)નાગરિકોને રામદેવરા જવા-આવવા માટે સાબરમતીથી જોધપુર સુધીની ટ્રેનને જેસલમેર(Jaisalmer)સુધી લંબાવવામાં આવી. જેમાં મહેસાણાના સાંસદ  શારદાબેન પટેલની વધુ એક માંગણી ઉપર રેલવે મંત્રાલયે મહોર મારી છે. જેમાં ઉત્તર ગુજરાતમાંથી રામદેવરા જવા માટે સાબરમતી થી જોધપુર (ટ્રેન નં 14804 ) ટ્રેન ચાલતી હતી. આ ગાડી જોધપુર સવારે 6 વાગે જોધપુર પહોંચ્યા બાદ 7.05 વાગે જોધપુર થી જેસલમેર (ટ્રેન નં 14810 ) ના સ્વરૂપે જેસલમેર જતી હતી. જેસલમેર 12.40 વાગે ટ્રેન પહોંચ્યા પછી તે જ ટ્રેન 14809 નંબર થી 3.00 વાગે જેસલમેર થી જોધપુર સુધી રૂપાંતરિત થતી હતી. જે રાત્રે 9.10 વાગ્યે જોધપુર આવતી હતી અને આ જ ટ્રેન 10 મિનિટ પછી જોધપુર થી 14803 નંબર થી 9.20 વાગ્યે સાબરમતી માટે રવાના થતી હતી.

રામદેવરાની મુલાકાતે જતા આવતા શ્રદ્ધાળુઓને જોધપુર થી રામદેવરા જવા માટે નવી ટિકિટ અને કન્ફર્મેશનને લગતા પ્રશ્નોના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જેમાં સંસદસભ્ય શારદાબેન પટેલના ધ્યાને આ મુશ્કેલી આવતા તેમણે રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશને રજૂઆત કરી હતી કે આ એક જ ટ્રેન જુદા જુદા નંબરો થી 2 ભાગમાં ચાલે છે તો તેને સળંગ એક જ ટ્રેન કરી દેવાથી મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાતના નાગરિકોને રામદેવરા જવા-આવવા માટે સીધી દૈનિક ટ્રેન નો લાભ મળી શકે તેમ છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

આ રજૂઆતને દયાને લઇ રેલવે મંત્રી દ્વારા તારીખ 31/૦7/2022 થી ગાડી નંબર- 14803 જેસલમેર થી સાબરમતી તથા તારીખ 01/08/2022 થી ગાડી નંબર- 14804 સાબરમતી થી જેસલમેર સુધી કરી દેવામાં આવી છે.સાબરમતી-જોધપુર-જેસલમેર ની આ સીધી દૈનિક ટ્રેન નો લાભ મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહીત અમદાવાદ અને સમગ્ર ઉત્તર ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓ ને મળશે અને રામદેવરાના પવિત્ર સ્થળ પર આવેલા રામદેવ પીરના દર્શન કરવા સરળતાથી જઈ શકાશે.સંસદ સભ્ય શારદાબેન પટેલે રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોશજી અને રેલ મંત્રાલયનો આભાર માન્યો હતો.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">