Mehsana: બાગાયતી પાકોમાં સજીવ ખેતી અંગે તાલીમ શિબિર, ખેડૂતોએ લીંબુના પાકના વાવેતર અંગે માર્ગદર્શન મેળવ્યું

આ સેમીનારમાં મહેસાણા જિલ્લાના અંદાજીત 200 જેટલા ખેડુત ભાઈઓ અને બહેનોને લીંબુ પાકમાં વાવેતર, રોગ જીવાત નિયંત્રણ, હાર્વેસ્ટિંગ, વેચાણ વ્યવસ્થા અને વર્ષો જૂની લીંબુની વાડીઓનું નવીનીકરણ તેમજ લીંબુ પાકમાંથી બનતી વિવિધ બનાવટો ઉપર વ્યાખ્યાન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું.

Mehsana: બાગાયતી પાકોમાં સજીવ ખેતી અંગે તાલીમ શિબિર, ખેડૂતોએ લીંબુના પાકના વાવેતર અંગે માર્ગદર્શન મેળવ્યું
લીંબુના પાક અંગે સેમિનારનું આયોજન
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Jan 25, 2023 | 2:47 PM

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બાગાયત ખાતા દ્વારા ઉંઝા તાલુકાના વરવાડા ગામે બાગાયતી પાકોમાં સજીવ ખેતી વિશે તાલીમ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં 120 તાલીમાર્થીઓને બાગાયતી પાકોમાં સજીવ ખેતી, બાગાયતી પેદાશોનુ મુલ્યવર્ધન અને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ વિષે માર્ગદર્શન મેળવ્યું હતું.અત્રે ઉલ્લેખીય છે કે રાજ્યમાં મહેસાણા જિલ્લામાં કાગદી લીંબુનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં થયેલ છે અંદાજે લગભગ 13,500 હેક્ટર વિસ્તારમાં લીંબુ પાકનું વાવેતર થાય છે તેમજ 1.90 લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન એટલે કે ગુજરાત રાજ્યના 30 ટકા ઉત્પાદનમાં મહેસાણા જિલ્લાનું યોગદાન છે.

મહેસાણા જિલ્લામાં ખેડૂતો લીંબુ પાકમાં એકમ વિસ્તારમાંથી મહતમ ઉત્પાદન મેળવી નિકાસલક્ષી ખેતીનો બહોળા પ્રમાણમાં લાભ લઇ શકે તે હેતુથી નાયબ બાગાયત નિયામકની કચેરી મહેસાણા દ્વારા વિસનગર તાલુકાના સુંશી ગામ ખાતે આવેલા 11 હેક્ટરમાં પથરાયેલ લીંબુ ફળ પાક માટેના સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે લીંબુ પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારમાં મહેસાણા જિલ્લાના અંદાજીત 200 જેટલા ખેડુત ભાઈઓ અને બહેનોને લીંબુ પાકમાં વાવેતર, રોગ જીવાત નિયંત્રણ, હાર્વેસ્ટિંગ, વેચાણ વ્યવસ્થા અને વર્ષો જૂની લીંબુની વાડીઓનું નવીનીકરણ તેમજ લીંબુ પાકમાંથી બનતી વિવિધ બનાવટો ઉપર વ્યાખ્યાન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પરિસંવાદમાં મહેસાણા વિભાગીય કચેરી, મહેસાણાના વડા સંયુકત બાગાયત નિયામક ડૉ.એફ. કે. મોઢ, સંયુકત ખેતી નિયામક કે. એસ. પટેલ, નાયબ બાગાયત નિયામક જે.બી. સુથાર, નાયબ ખેતી નિયામક એસ. એસ. પટેલ, દાંતીવાડા યુનિવર્સિટી હસ્તકના જગુદણ બાગાયત કોલેજના પ્રાધ્યાપક અને વડા ડો. પિયુષ વર્મા, કેવીકે ખેરવાના વૈજ્ઞાનિક ડૉ. રમેશભાઈ પટેલ તેમજ હરિયાણા રાજ્યના મંગીયાણા લીંબુ રિસર્ચ સેન્ટરના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉ . એ. એસ. પૂનીયા, બાગાયત ખાતાનાં અધિકારીઓ પી.બી.ચૌધરી, એન.આર.સોંદરવા, એચ.એસ.પ્રજાપતિ, બી.ડી.ચૌધરી તથા આત્માં કચેરીનાં બી.ટી.એમ. આર.એમ.પટેલ તથા ડી.એસ.સી., અમદાવાદથી આર.બી.પટેલ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">