PM Modi ના જન્મદિને ધરોઈ ડેમથી અંબાજી સુધી જલ થી જય સુધીની સાયકલ યાત્રા યોજાઈ

પીએમ  મોદી (PM Modi Birthday)  ના જન્મદિને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહેસાણા (Mehsana) જિલ્લાના મુખ્ય ધરોઈ ડેમથી અંબાજી(Ambaji)સુધીની સાયકલ યાત્રા(Cycle Yatra)યોજાઈ હતી.

PM Modi ના જન્મદિને ધરોઈ ડેમથી અંબાજી સુધી જલ થી જય સુધીની સાયકલ યાત્રા યોજાઈ
Mehsana Cycle Yatra Dhroi Dam To Ambaji
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Sep 17, 2022 | 4:39 PM

પીએમ  મોદી (PM Modi Birthday)  ના જન્મદિને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહેસાણા (Mehsana) જિલ્લાના મુખ્ય ધરોઈ ડેમથી અંબાજી(Ambaji)સુધીની સાયકલ યાત્રા(Cycle Yatra)યોજાઈ હતી. જલ સે જય તક એટલે કે ધરોઈ ડેમથી અંબાજી સુધીની યાત્રા અહલાદક બની હતી. 82.79 કિલોમીટરની યાત્રામાં અનેક સ્થળોએ ખળખળતી નદીઓ, ઝરણા ,પ્રાકૃતિક સૌંદર્ય ,વન્ય સંપદા તેમજ ડુંગરાઓનો આનંદ માણતા સાયકલીસ્ટો માં અંબાના ધામ અંબાજી પહોંચ્યા હતા.મહેસાણા જિલ્લાના નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીત વાળાએ 82.79 કિલોમીટરની આ યાત્રા સાયકલ ચલાવીને પૂર્ણ કરી હતી.

વડોદરાથી 75 જેટલા બાઈક ચાલકો પણ જોડાયા હતા

ઇન્ડિયન સાયકલ એસોશિયેશન અને જિલ્લા વહીવટી તંત્રના અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલી સાયકલ યાત્રાનું પ્રસ્થાન સંસદ સભ્ય જુગલજી ઠાકોર,પ્રવાસન વિભાગના સચિવ હરીત શુક્લા તેમજ ફિલ્મ અભિનેતા અને નિર્માતા મિલિંદ સોમન દ્વારા કરાયું હતું. ધરોઈ થી અંબાજી સુધી યોજાયેલા યાત્રામાં 300 જેટલા સાયકલ સવારો તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડોદરાથી 75 જેટલા બાઈક ચાલકો પણ જોડાયા હતા.

રાજ્ય સભાના સભ્ય જુગલજી ઠાકોરે જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રીના જન્મદિવસે વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત થયેલા આયોજનથી જલ થી જય તકની યાત્રા માં ભાગ લેનાર તમામ સાયકલીસ્ટ ,બાઈક ચાલકો માટે હંમેશા યાદગાર બનશે. પ્રવાસન વિભાગના મેનેજિંગ ડિરેક્ટર આલોક પાંડે જણાવ્યું હતું કે” જલથી જય “સુધીની આ યાત્રા પ્રેરણાદાયક છે. જલ થી જય સુધીની યાત્રામાં જોડાયેલા સાઈકલીસ્ટો અને બાઇક ચાલકોને અભિનંદન પાઠવ્યા હતા.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

જલ સે જય તક યાત્રામાં જોડાયેલ સાયકલિસ્ટ નવનીત પટેલે જણાવ્યું હતું કે મેં આ પ્રકારની અનેક યાત્રાઓ સાઇકલ ચલાવી કરી છે પરંતુ ધરોઈ થી અંબાજી સુધીની યાત્રાનો યાત્રા મારા માટે સુખમય બની છે આ પ્રકારના આયોજન માટે હું જિલ્લા વહીવટી તંત્ર ને અભિનંદન સાથે આભાર વ્યક્ત કરું છું તેમ જણાવ્યું હતું.

જલ સે જય તક સુધીની સમગ્ર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ યાત્રા સફળ બને તે માટે જિલ્લા કલેકટર ઉદીત અગ્રવાલ દ્વારા વિવિધ બેઠકોનું આયોજન કરી રૂટનું આયોજન ,રૂટ માં પડતી મુશ્કેલીઓ સહિત સાયકલિસ્ટોનાં રીફ્રેશમેન્ટ સહિત આગોતરા આયોજન નું માઇક્રો પ્લાનિંગ કરી યાત્રા ને સફળ બનાવી હતી. જિલ્લા કલેકટર ઉદીત અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ દ્વારા સમગ્ર યાત્રાનું સફળ આયોજન કરાયું હતુંઅત્રે ઉલ્લેખનીય છે કે જલથી જય તક સુધીની આ 82.79 કિલોમીટર ની યાત્રા માં ધરોઈ ડેમ, તલાસણા,ગોઠડા, રંગપુર,મહુડી,માનપુર, બેડા, બોરડીયાલા,રૂપવાસ, ખંધોરા, અમલોઇ, સુલતાનપુર, હડાદ થઈ અંબાજી પહોચી હતી.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">