MEHSANA : આરોગ્યપ્રધાને ખોરાક અને ઔષધ નિયમન તંત્રના આયુષ ઓનલાઇન લાયસન્સ સોફટવેરનું લોકાર્પણ કર્યું

નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર (NIC) દ્વારા તૈયાર કરવામાં આવેલ આ સોફટવેર ઓનલાઇન થવાથી આયુર્વેદિકના નાના-મોટા ઉત્પાદકો લાયસન્સને લગતી, વધારાની બનાવટની તેમજ વિવિધ સર્ટિફિકેટ મેળવવાની કામગીરી ઓનલાઇન થઈ શકશે.

MEHSANA : આરોગ્યપ્રધાને ખોરાક અને ઔષધ નિયમન તંત્રના આયુષ ઓનલાઇન લાયસન્સ સોફટવેરનું લોકાર્પણ કર્યું
AYUSH Online Licensing Software for Food and Drug Administration
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 7:00 PM

MEHSANA : ગુડ ગવર્નન્સ સપ્તાહના ભાગરૂપે મહેસાણા ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના આયુષ ઓનલાઇન લાયસન્સ ayudmla.gujarat.gov.in નું આરોગ્યપ્રધાન ઋષિકેશભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર (NIC) દ્વારા તૈયાર કરવામાં આવેલ આ સોફટવેર ઓનલાઇન થવાથી આયુર્વેદિકના નાના-મોટા ઉત્પાદકો લાયસન્સને લગતી, વધારાની બનાવટની તેમજ વિવિધ સર્ટિફિકેટ મેળવવાની કામગીરી ઓનલાઇન થઈ શકશે. ઉપરાંત અરજદાર અરજી ફી પણ ઓનલાઇન સાયબર ટ્રેઝરી મારફત ભરી શકશે. આ પોર્ટલની મદદથી અરજદારોને મંજૂર થયેલી અરજીની જાણ ઇ-મેઇલ/એસ.એમ.એસ. દ્વારા થશે અને QR કોડ થકી લાયસન્સની પ્રિન્ટ કાઢી શકશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અગાઉ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાવેલ દવાના વેચાણના પરવાના મેળવવાનું પોર્ટલ XLN India ને નેશનલ ઇ-ગવર્નન્સનો ગોલ્ડ એવોર્ડ એનાયત થયેલ છે અને આ સોફટવેર દેશના વિવિધ 19 રાજ્યો અનુસરી રહ્યાં છે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ.જી.કોશિયાની યાદીમાં જણાવાયુ છે.

મહત્વપૂર્ણ છે કે, હાલ રાજ્યમાં આશરે 875 જેટલી આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતી પેઢીઓ આવેલી છે. જે આશરે સવા લાખ જેટલી વિવિધ બનાવટોની પરવાનગી ધરાવે છે. આ ઉત્પાદક પેઢીઓને જી.એમ.પી, ફ્રી-સેલ, નોન-કન્વિક્શન જેવા વિવિધ પ્રકારના સર્ટિફિકેટ આપવાની કામગીરી હાલમાં ઓફલાઇન થાય છે. આ ઓનલાઈન લાયસન્સ સોફ્ટવેર કાર્યરત થવાથી વિવિધ પ્રકારના સર્ટિફિકેટ મેળવવાની કામગીરી વધુ સરળ અને ઝડપી બનશે.

આ ઉપરાંત આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મહેસાણા ટાઉનહોલ ખાતે ગુજરાત સરકારના “સુશાસન સપ્તાહ” ઉજવણીના અવસર નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જુવેનાઇલ ડાયાબિટીસ ક્લિનિકનો શુભારંભ કરાવ્યો હતો. આ સાથે જ મહેસાણા સિવિલ હોસ્પિટલ મુકામે ડાયાબિટીસથી ગ્રસિત બાળકો સાથે મુલાકાત કરી તેમના સ્વાસ્થ્ય અંગેના ખબર અંતર પૂછી, પ્રાપ્ત થતી સ્વાસ્થ્ય સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી.

આ પણ વાંચો : કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું, ગુજરાત આવીને જ શ્રીકૃષ્ણ ‘દ્વારિકાધીશ’ બન્યા

આ પણ વાંચો : સુન્ની વક્ફ બોર્ડે કહ્યું, “બેટ દ્વારકાના બે ટાપુ અમારા”, હાઈકોર્ટે અરજી ફગાવી લગાવી ફટકાર

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">