મહેસાણામાં રસીકરણમાં મોટો છબરડો, 15 દિવસ પહેલા મૃત્યુ પામેલા વૃદ્ધને રસીકરણનો પહેલો ડોઝ આપી દીધો!

શું રસીકરણમાં આટલો મોટો છબરડો થઇ શકે કે 15 દિવસ પહેલા કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને એને કોરોના રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હોય? રાજ્યના MEHSANA માં આ મોટી બેજવાબદારી સામે આવી છે.

મહેસાણામાં રસીકરણમાં મોટો છબરડો, 15 દિવસ પહેલા મૃત્યુ પામેલા વૃદ્ધને રસીકરણનો પહેલો ડોઝ આપી દીધો!
મહેસાણામાં રસીકરણમાં મોટો છબરડો
Follow Us:
| Updated on: May 14, 2021 | 10:50 PM

MEHSANA માં કોરોના રસીકરણમાં મોટો છબરડો સામે આવ્યો છે. દેશમાં અને રાજ્યમાં કોરોના સામે રસીકરણ અભિયાન જોરશોરથી શરૂ છે. પણ જ્યારથી 18 થી વધુ ઉમરના લોકોનું રસીકરણ શરૂ થયું છે ત્યારથી રસીકરણ અને તેની પ્રક્રિયા સામે સવાલો ઉભા થયા છે. રજીસ્ટ્રેશન થયું હોવા છતાં રસી મળતી નથી, તો રસીની અછતના કારણે જેને પ્રથમ ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે એમને બીજો ડોઝ ક્યારે મળશે એનું કાઈ નક્કી નથી. આ બધું જનતા સહન કરી લે છે, પણ શું રસીકરણમાં આટલો મોટો છબરડો થઇ શકે કે 15 દિવસ પહેલા કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને એને કોરોના રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હોય? રાજ્યના મહેસાણામાં આ મોટી બેજવાબદારી સામે આવી છે.

29-04-2021 ના રોજ થયું મૃત્યુ MEHSANA જિલ્લાના હેડુવા રાજગર ગામે રહેતા 81 વર્ષીય ભાઈલાલભાઈ પટેલનું 29-04-2021 એટલે કે આજે 14 મે ના 15 દિવસ પહેલા મૃત્યુ થયું હતું. રાજ્ય સરકાર દ્વારા મૃતકનું અવસાન પ્રમાણપત્ર પણ ઈશ્યુ કરી દેવામાં આવ્યું છે. આમ છતાં 13 મે ના રોજ મૃતકના મોબાઈલ ફોનમાં મેસેજ આવ્યો કે 13 મે 2021ના દિવસે મૃતકને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે!

રસીકરણનું પ્રમાણપત્ર પણ જનરેટ થઇ ગયું ! MEHSANA જિલ્લાના હેડુવા રાજગર ગામના મૃતકના ફોનમાં મૃત્યુના 15 દિવસ બાદ ટેક્સ્ટ મેસેજ આવવ્યો કે 13 મે 2021ના રોજ કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે જ મૃતકનું કોરોના રસીકરણ થયું છે તેનું સર્ટિફિકેટ પણ જનરેટ થયું છે. આ સર્ટીફીકેટમાં રસીકરણની તારીખ, રસીની બેચનો નંબર, રસી આપનારનું નામ અને હવે પછી બીજો ડોઝ ક્યારે લેવાનો એ તમામ બાબતો બતાવવામાં આવી છે. રસીકરણ જેવી મહત્વની પ્રક્રિયામાં આટલી મોટી બેદરકારી કેવી રીતે થઇ હશે એ સૌથી મોટો પ્રશ્ન છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસ સોંપી MEHSANA માં રસીકરણમાં થયેલી આ સૌથી મોટી ભૂલ અંગે હવે તંત્ર દોડતું થયું છે.આ સમગ્ર ઘટના અંગે મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. આ સમગ્ર ઘટના અંગે મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલે ટેલીફોનીક નિવેદનમાં જણાવ્યું કે રસીકરણમાં આ ગરબડ થવા પાછળ ઓનલાઇન રિપોર્ટિંગની ખામી હોઈ શકે છે. આ સમગ્ર ઘટનામાં રજીસ્ટ્રેશનમાં જ ગરબડ થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે રસી લીધી જ નથી, અથવા મુકાવી જ નથી તો રસીકરણના પ્રથમ ડોઝનું પ્રમાણપત્ર કેવી રીતે બની ગયું? હવે આવનારા દિવસોમાં બીજો ડોઝ લીધા વગર પણ રસીકરણના બીજા ડોઝનું પ્રમાણપત્ર પણ જનરેટ થઇ જાય તો નવાઈ નહી !

આ પણ વાંચો : Gujarat Corona Update : રાજ્યમાં 10 હજારથી ઓછા નવા કેસ, 104 દર્દીઓના મૃત્યુ, કુલ 6 લાખથી વધુ દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">