કૃષિબીલના વિરોધમાં, મહેસાણા, વિસનગર, વિજાપુર, ઊંઝા એપીએમસી રહ્યાં બંધ
કેન્દ્ર સરકારે તાજેતરમાં સંસદમાં પાસ કરેલ કૃષિ બીલના વિરોધમાં વિવિધ ખેડૂત સંગઠનોએ આંદોલનનું રણશીગુ ફુક્યુ છે. ખેડૂત સંગઠનોએ આજે બંધનું એલાન આપ્યું છે. જેમાં ઉતર ગુજરાતના વિવિધ એપીએમીસ માર્કેટ જોડાયા છે. મહેસાણા, વિસનગર, વિજાપુર અને ઊંઝા માર્કેટયાર્ડે બંધ રહ્યુ છે. કેન્દ્ર સરકાર દ્વારા માર્કેટયાર્ડની વિવિધ સત્તાઓ અને ધારાધોરણોમાં સુધારો કરતા બીલ પસાર કરાયું છે તેનો […]
કેન્દ્ર સરકારે તાજેતરમાં સંસદમાં પાસ કરેલ કૃષિ બીલના વિરોધમાં વિવિધ ખેડૂત સંગઠનોએ આંદોલનનું રણશીગુ ફુક્યુ છે. ખેડૂત સંગઠનોએ આજે બંધનું એલાન આપ્યું છે. જેમાં ઉતર ગુજરાતના વિવિધ એપીએમીસ માર્કેટ જોડાયા છે. મહેસાણા, વિસનગર, વિજાપુર અને ઊંઝા માર્કેટયાર્ડે બંધ રહ્યુ છે.
કેન્દ્ર સરકાર દ્વારા માર્કેટયાર્ડની વિવિધ સત્તાઓ અને ધારાધોરણોમાં સુધારો કરતા બીલ પસાર કરાયું છે તેનો ઉતર ગુજરાતના માર્કેટયાર્ડો વિરોધ કરી રહ્યાં છે. વિવિધ વેપારી સંગઠનો અને માર્કેટયાર્ડ વેપારી એસોસિએશને બંધને ટેકો આપતા રોજબરોજ કારોબારથી ધમધમતા માર્કેટયાર્ડ સુમસામ લાગે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો