Mehsana : BSFના જવાનોએ બહુચરાજી મંદિર પરિસરમાં ખાસ યોગ શિબિરનું આયોજન કર્યું

વિશ્વ યોગ દિવસ(World Yoga Day) પૂર્વે અંબાસણ ગામ સ્થિત BSF 56 બટાલિયન દ્વારા યાત્રાધામ બહુચરાજી માતાજીના સાનિધ્ય માં તેમજ સ્વતંત્ર સેનાની પ્રહલાદજી શેઠ ના જન્મ સ્થળ એવા બહુચરાજી માં યોગ શિબિર નું આયોજન કરાયું હતું.

Mehsana : BSFના જવાનોએ બહુચરાજી મંદિર પરિસરમાં ખાસ યોગ શિબિરનું આયોજન કર્યું
BSF Perform Yoga At Bachuchraji Temple
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2022 | 5:00 PM

વિશ્વ યોગ દિવસ(World Yoga Day)  પૂર્વે અંબાસણ ગામ સ્થિત BSF 56 બટાલિયન દ્વારા મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજી મંદિર(Bahucharaji) પરિસર ખાસ યોગ શિબિરનું(Yog Shibir)  આયોજન કરાયું હતુ . ભારત ના સુંદર પ્રયાસો થી આજે વિશ્વ આખું યોગ વિશે જાગૃત બન્યું છે. કોરોના જેવી મહામારીએ પણ સ્વાસ્થ્ય વિશે સજાગ રહેવા શીખ પણ આપી છે. યોગ નું ઉદ્દભવ સ્થાન ભારત છે ત્યારે તેનો બહોળો પ્રચાર પણ અહીંથી જ શરૂ થયો હતો જેની સમગ્ર વિશ્વ એ પણ નોંધ લઈ યોગનું શિક્ષણ મેળવ્યું છે.

બોર્ડર સિક્યુરિટી ફોર્સ સાથે સ્થાનિક લોકો યોગ માં જોડાઈ પ્રશિક્ષણ મેળવ્યું

ત્યારે વિશ્વ યોગ દિવસ પૂર્વે અંબાસણ ગામ સ્થિત BSF 56 બટાલિયન દ્વારા યાત્રાધામ બહુચરાજી માતાજીના સાનિધ્ય માં તેમજ સ્વતંત્ર સેનાની પ્રહલાદજી શેઠ ના જન્મ સ્થળ એવા બહુચરાજી માં યોગ શિબિર નું આયોજન કરાયું હતું. બોર્ડર સિક્યુરિટી ફોર્સ સાથે સ્થાનિક લોકો યોગ માં જોડાઈ પ્રશિક્ષણ મેળવ્યું હતું. આ યોગ શિબિર માં BSF ના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતીય સંસ્કૃતિનો એક ભાગ

ઉલ્લેખનીય છે કે, યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્મના જોડાણનો પ્રતિક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા-જુદા સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન વધી રહી છે. યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવેલ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

21 મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી. 21મી જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાબો દિવસ છે અને આ જ કારણે પ્રધાનમંત્રી મોદીએ 21મી જૂન ને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું. ત્યારબાદ, આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતિ દર્શાવી અને વર્ષ 2015 થી 21 મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું.

(With Input ,Manish Mistri, Mehsana ) 

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">