નવસારી: જીવતે જીવ દેહદાન, કોરોનાની રસીનું માણસ પર પરિક્ષણ કરવા માટે દાન કર્યું પોતાનું શરીર
કોરોના સામેના જંગમાં નવસારીના એક આધેડે જીવંત દેહદાન માટે તૈયારી દર્શાવી છે. કોરોનાની રસીનું પરિક્ષણ કરવા માટે કિશોરભાઇ નામના આધેડે આરોગ્ય વિભાગને પત્ર લખીને જાણ કરી છે. એક તરફ વૈશ્વિક મહામારી બની ચુકેલા કોરોના વાઇરસની હજુ સુધી કોઇ રસી નથી શોધાઇ. તબીબો આ મહામારીનો ઇલાજ શોધવાના પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે રસીનું માણસ પર પરિક્ષણ […]
કોરોના સામેના જંગમાં નવસારીના એક આધેડે જીવંત દેહદાન માટે તૈયારી દર્શાવી છે. કોરોનાની રસીનું પરિક્ષણ કરવા માટે કિશોરભાઇ નામના આધેડે આરોગ્ય વિભાગને પત્ર લખીને જાણ કરી છે. એક તરફ વૈશ્વિક મહામારી બની ચુકેલા કોરોના વાઇરસની હજુ સુધી કોઇ રસી નથી શોધાઇ. તબીબો આ મહામારીનો ઇલાજ શોધવાના પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે રસીનું માણસ પર પરિક્ષણ કરવા માટે પોતાનું શરીર દાન કરવાનું મન કિશોરભાઇએ બનાવ્યું છે. સુખી સંપન્ન પરિવારમાં રહેતા કિશોરભાઇએ આ નિર્ણય માત્રને માત્ર દેશની સેવા અને ભારતીય તરીકે પોતાની ફરજ અદા કરવા લીધો છે.
આ પણ વાંચો: જો જો મે મહિનામાં અટકી ના જાય જરૂરી કામકાજ, 13 દિવસ સુધી બંધ રહેશે બેંક!
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો