Makar Sankranti 2021: મકરસંક્રાંતિ પર જાણો આ દિવસનો પુણ્યકાળ અને ખાસ ગ્રહ યોગ
આ તેહવાર સંક્રાંત, ઉતરાયણ, ખીચડો જેવા અલગ અલગ નામથી જાણીતો છે. આ દિવસે સૂર્યનું ઉત્તરમાં પ્રયાણ થાય છે જેથી તેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે
Makar Sankranti 2021માં દર વર્ષની જેમ આ વર્ષે પણ 14 જાન્યુઆરીએ ઉજવાશે. મકરસંક્રાંતિ (ઉતરાયણ)નો તેહવાર હિન્દુ ધર્મમાં તેમજ ગુજરાતીઓમાં ખાસ મહત્વ ધરાવે છે. આ તેહવાર સંક્રાંત, ઉતરાયણ, ખીચડો જેવા અલગ અલગ નામથી જાણીતો છે. આ દિવસે સૂર્યનું ઉત્તરમાં પ્રયાણ થાય છે જેથી તેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે સુર્ય ધન રાશીમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસે જપ-તપ, દાન-ધર્મ, સ્નાન વિગેરેનું અનેરું મહત્વ છે.
ક્યારે મનાવાય છે મકારસંક્રાંતિનો તેહવાર ? મકરસંક્રાંતિનો પુણ્યકાળ 8 કલાકનો રહશે, જે સાવરે 08 કલાકને 30 મિનિટથી લઈને સાંજે 05 કલાકને 46 મિનિટ સુધી રહશે. શાસ્ત્રો અનુસાર આ દરમ્યાન સ્નાન-દાન જેવા ધાર્મિક કાર્યોથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. કહેવાય છે આ વર્ષે મકરસંક્રાંતિમાં તહેવાર પર ચંદ્ર, શનિ, બુધ, અને ગુરુ પણ મકર રાશિમાં હશે. આવામાં મકરસંક્રાંતિને અત્યંત શુભ ફળદાયક માનવામાં આવે છે.
આ દિવસે અચૂક કરશો આ કાર્યો –
મકરસંક્રાંતિના દિવસે દાન-પુણ્ય કરવું તે અત્યંત મહત્વનું મનાય છે. આ દિવસે વ્યક્તિએ પોતાની યથાશક્તિ પ્રમાણે દાન-પુણ્ય કરવું જોઈએ સાથે સાથે જ પવિત્ર નદીઓમાં સ્નાન પણ કરવું જોઈએ. આજના દિવસે ખીચડાનું દાન કરવું પણ વિશેષ ફળદાયી સાબિત થાય છે.આજના શુભ દિવસે ગોળ, તલ, રેવડી, ગજક વિગેરેને પ્રસાદના રૂપમાં વહેંચવામાં આવે છે.