લોકડાઉન બાદ શિક્ષણ વિભાગની પ્રથમ સમીક્ષા બેઠક યોજાઈ, ખાનગી સ્કુલોની મનમાનીથી લઈ શિક્ષણ વિભાગનાં બજેટ પર કરાઈ ચર્ચા
લોકડાઉન બાદ શિક્ષણ વિભાગની પ્રથમ સમીક્ષા બેઠક યોજાઈ કે જેમાં ખાનગી સ્કૂલ સંચાલકો દ્વારા ફી બાબતે કરાતી મનમાની અંગે ચર્ચા થઈ. શાળા સંચાલકોની મનમાની સામે સરકાર સખ્તાઈથી વર્તવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સ્કૂલ – કોલેજ શરૂ કરવા મામલે પણ ચર્ચા થઈ હતી તો ખાનગી સ્કૂલો દ્વારા પુસ્તકો […]
લોકડાઉન બાદ શિક્ષણ વિભાગની પ્રથમ સમીક્ષા બેઠક યોજાઈ કે જેમાં ખાનગી સ્કૂલ સંચાલકો દ્વારા ફી બાબતે કરાતી મનમાની અંગે ચર્ચા થઈ. શાળા સંચાલકોની મનમાની સામે સરકાર સખ્તાઈથી વર્તવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સ્કૂલ – કોલેજ શરૂ કરવા મામલે પણ ચર્ચા થઈ હતી તો ખાનગી સ્કૂલો દ્વારા પુસ્તકો – ટ્રાન્સ્પોર્ટેશનની લેવાતી ફી, શિક્ષણ વિભાગનું બજેટ, બજેટમાં કાપ મુકવો અને શિક્ષણ વિભાગનો ખર્ચ ઓછો કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.