Kutch : ભૂજમાં અદાણી સંચાલિત મેડિકલ કોલેજમાં દુષિત પાણી પીધા બાદ 50 વિદ્યાર્થીઓ બિમાર પડયા

ગુજરાતના ભુજમાં અદાણી સંચાલિત મેડિકલ કોલેજમાં દૂષિત પાણી પીધા બાદ 50 થી વધુ વિદ્યાર્થીઓ બિમાર પડ્યા છે.

Kutch :  ભૂજમાં અદાણી સંચાલિત મેડિકલ કોલેજમાં દુષિત પાણી પીધા બાદ 50 વિદ્યાર્થીઓ બિમાર પડયા
adhani group medical college, bhuj
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 6:29 PM

Kutch : જિલ્લાના મુખ્યમથક ભુજમાં અદાણી સંચાલિત મેડિકલ કોલેજમાં દુષિત પાણી પીધા બાદ 50 થી વધુ વિદ્યાર્થીઓ બિમાર પડ્યા છે. અદાણી જૂથ દ્વારા સંચાલિત કચ્છના ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની મેડિકલ કોલેજના છાત્રાલયમાં દુષિત પાણી પીધા પછી 50 વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી.

કેટલાક વિદ્યાર્થીઓની હાલત વધુ કથળી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ બાબતને ગંભીરતાથી લેતાં, વિદ્યાર્થીઓએ દુષિત પાણી મળવાની ફરિયાદ અંગે ટ્વિટ કર્યા બાદ મેડિકલ કોલેજના સત્તાધીશોએ અહીં પીવા માટે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાનું શરૂ કર્યું છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દુષિત પાણી ફેલાવવામાં આવતા હોવાના વીડિયો બાદ હોસ્પિટલના વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી હતી કે છાત્રાલયના ઓવરહેડ ટાંકીમાંથી નર્મદાનું પાણી અને બોરવેલ મિશ્રિત પાણી આપવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી છાત્રાલયનું પાણી ઓછું ચાલતું હતું.

જેના કારણે બોરવેલ દ્વારા પાણી કાઢીને વિદ્યાર્થીઓને છાત્રાલયોમાં આપવામાં આવતું હતું. વિદ્યાર્થીઓની ફરિયાદ મળ્યા બાદ તેને છાત્રાલય વહીવટ દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે, આ સાથે દુષિત પાણીનું વિતરણ પણ બંધ કરાયું છે. હાલમાં છાત્રાલયમાં ટેન્કર દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે.

અદાણીની હોસ્પિટલ વતી ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.નરેન્દ્ર હિરાણી કહે છે કે સારી વાત એ છે કે દુષિત પાણીના કારણે કોઈને ફૂડ પોઇઝનિંગ નથી થયું, કેટલાક વિદ્યાર્થીઓને ફ્લૂની અસર છે. તેમની સારવાર આપવામાં આવી રહી છે. આ સાથે અદાણી હોસ્પિટલ વહીવટ દ્વારા ભુજ પાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજી નર્મદાના શુદ્ધ પાણી વધુને વધુ હોસ્પિટલો અને છાત્રાલયો સુધી પહોંચાડવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">