વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયામાં સિવિલ સર્વિસ પ્રોબેશનર્સને કર્યા સંબોધિત, દેશના વિકાસમાં યોગદાન આપવા કર્યું આહવાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયા કોલોની ખાતે સરદારની પ્રતિમા પાસે એક વર્ચ્યુઅલ સભાને સંબોધિત કરી હતી. અહીં, વડાપ્રધાને સિવિલ સર્વિસ પ્રોબેશનર્સને સંબોધિત કર્યા હતા. આ નિમિતે વડાપ્રધાને નવનિયુક્ત પ્રોબેશનર્સને 75માં ભારતના આઝાદીના પર્વ સાથે સાંકળીને પ્રોત્સાહિત કર્યા. તેમણે જણાવ્યું કે તમે એવા અધિકારીઓ છો કે ભારતના આઝાદીના 75થી 100 વર્ષના ઇતિહાસના સાક્ષી બનશો. અને, આ સમયગાળા […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયા કોલોની ખાતે સરદારની પ્રતિમા પાસે એક વર્ચ્યુઅલ સભાને સંબોધિત કરી હતી. અહીં, વડાપ્રધાને સિવિલ સર્વિસ પ્રોબેશનર્સને સંબોધિત કર્યા હતા.
આ નિમિતે વડાપ્રધાને નવનિયુક્ત પ્રોબેશનર્સને 75માં ભારતના આઝાદીના પર્વ સાથે સાંકળીને પ્રોત્સાહિત કર્યા. તેમણે જણાવ્યું કે તમે એવા અધિકારીઓ છો કે ભારતના આઝાદીના 75થી 100 વર્ષના ઇતિહાસના સાક્ષી બનશો. અને, આ સમયગાળા દરમિયાન દેશ વિકાસનો નવો રાહ ચિંધશે. આ 25 વર્ષના સમયમાં ભારતને વૈશ્વિકસ્તરે આગળ વધવાનો માર્ગ મોકળો હશે. ભારત દેશ રક્ષા ક્ષેત્રે, ગરીબોના ઉત્થાન અને વિકાસક્ષેત્રે આગળ સ્થાન મેળવશે.
વડાપ્રધાને આ નિમિતે સિવિલ સર્વિસ પ્રોબેશનર્સને દેશના વિકાસ માટે એક સંકલ્પ લેવા કહ્યું હતું. અને, પોતાની ફરજ થકી દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપવા આહવાન કર્યું હતું.
અહીં વડાપ્રધાને કેવડીયાના વિકાસ થકી ગુજરાતના પ્રવાસનને મોટો લાભ થશે તેમ જણાવ્યું હતું. સાથે જ કેવડીયાનો વૈશ્વિકસ્તરે થઇ રહેલા વિકાસનો અનુભવ કરવા અધિકારીઓને કહ્યું હતું. વધુમાં આ નિમિતે વડાપ્રધાને શું ઉમેર્યું આવો સાંભળો આ વીડિયોમાં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો