અમદાવાદના જમાલપુર ખાતે આવેલાં સપ્તર્ષિ સ્મશાન ખાતે કાળી ચૌદશના દિવસે અનોખા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત-મુંબઈ રેશનાલિસ્ટ એસોસિયેશનના ભાગરુપે યોજવામાં આવ્યો હતો. જેમાં કાળી ચૌદશને લઈને વહેમ અંધશ્રદ્ધા દૂર કરવા અને દરેક વિધિ પાછળનું વૈજ્ઞાનિક કારણ લોકોને જાણવા મળ્યું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : VIDEO: ‘ક્યાર’ મચાવશે કહેર? વરસાદે વધારી તાતની ચિંતા, રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠા
જેમાં અંદાજે 2000થી વધારે લોકોએ હાજરી આપી હતી. સહપરિવાર આવીને લોકોએ આ જાગૃતિનો કાર્યક્રમ માણ્યો હતો. લોકોએ સ્મશાનમાં ફોટા પડાવીનેખોટા વહેમ, માન્યતાને જાકારો આપ્યો હતો. જે ડર હોય છે લોકોમાં જોવા મળ્યો ન હતો અને લોકોએ સ્મશાનમાં સેલ્ફી લીધી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
પિયુષ જાદૂગરે લોકોને વહેમ, અંધશ્રધ્ધા, ભુત-પ્રેતનો ડર દૂર કરવા માટે વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગ કરી બતાવ્યા હતા. આ સિવાય લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે ભૂત-પ્રેત જેવું કશું હોતું જ નથી અને આ માત્ર એક માન્ચતા છે. આ સિવાય કાળી ચૌદશની રાત્રીએ થતા ખાદ્ય પદાર્થનો બગાડ અટકાવવા માટે અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિસભર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સિવાય ભૂત-પ્રેત વગેરેેને સાબિત કરનારા માટે સંસ્થા દ્વારા 1 કરોડ રુપિયાના ઈનામની પણ જાહેરાત કરવામાં આવી છે.
દર વર્ષે સપ્તર્ષિ સ્મશાન ખાતે કાળી ચૌદશની રાત્રીએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેના લીધે લોકોમાં જાગૃતિ આવે. આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ સહયોગ આપ્યો હતો. જેમાં ચાર રસ્તાઓ પર લોકોએ મુકેલી વિવિધ સામ્રગીને ઉઠાવવામાં આવી હતી.
વિવિધ પોસ્ટર સાથે લોકોમા સ્વચ્છતા અને અંધશ્રદ્ધા મુદ્દે જાગૃતિ આવે તે માટે સંદેશો આપવામાં આવ્યો હતો. મોટા પ્રમાણમાં લોકોએ હાજરી આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સંસ્થા દ્વારા લોકોને આવા જાગૃતિ કાર્યક્રમમાં જોડાવાની અપીલ પણ કરવામાં આવી હતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]