Kutch : છોકરાની ફી ભરવા હત્યા સાથે કરી હતી લુંટ ! વડાલા ગામે જૈન આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો

તપાસ દરમિયાન મૃતકના (Kutch News) પત્ની દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, બનાવ સમયે શરીરે સોનાનો બ્રેસલેટ (પોંચી) વજન અંદાજિત 3 તોલા 1,20,000 રૂપિયાની કિંમતની તથા  હાસબાઇ માતાજીના ફોટા સાથેના લોકેટ વાળો અંદાજીત 4 તોલાનો 1,60,000 રૂપિયાની કિંમતનો સોનાનો ચેઇન પહેરલો હતો જેથી લુંટની દિશામાં પણ પોલિસે તપાસ શરૂ કરી હતી.

Kutch : છોકરાની ફી ભરવા હત્યા સાથે કરી હતી લુંટ ! વડાલા ગામે જૈન આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો
કચ્છમાં હત્યાનો ભેદ ઉકેલાયો
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: May 22, 2022 | 7:08 AM

કચ્છમાં ગત 26મી એપ્રિલે કરાયેલ હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. કચ્છ પોલીસની પુછપરછમાં આરોપી હત્યારાએ કબુલ્યુ હતુ કે હત્યા અને લૂંટ તેણે જ કરી છે. પોતાના દિકરા માટે ફિ ભરવા રૂપિયાની તાતી જરૂર હોવાથી આધેડની હત્યા કરીને મૃતકે પહેરેલા સોનાના દાગીનાની લૂટ કરી હતી. વડાલા ગામે 26 એપ્રિલ 2022ના રોજ જૈન આધેડ મનસુખભાઇ ઉર્ફે મનુભાઇ માવજીભાઇની કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા કોઇ અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયારથી શરીરે ગંભીર ઘા મારી હત્યા (Murder Case) કરી દેવાયેલી આ બાબતે મૃતકના સાઢુભાઇ મુકેશભાઇ મુળજીભાઇ છેડાએ ફરીયાદ નોંધાવતા હત્યાનો ગુન્હો નોંધી પોલિસે તપાસ કરી શરૂ કરી હતી. જેમાં આજે ગામના જ એક યુવાનની સંડોવણી 25 દિવસ બાદ તપાસમાં ખુલ્લી છે. જેથી પોલિસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન મૃતકના પત્ની દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, બનાવ સમયે શરીરે સોનાનો બ્રેસલેટ (પોંચી) વજન અંદાજિત 3 તોલા 1,20,000 રૂપિયાની કિંમતની તથા  હાસબાઇ માતાજીના ફોટા સાથેના લોકેટ વાળો અંદાજીત 4 તોલાનો 1,60,000 રૂપિયાની કિંમતનો સોનાનો ચેઇન પહેરલો હતો. જેથી લુંટની દિશામાં પણ પોલિસે તપાસ શરૂ કરી હતી.

ગોલ્ડલોનની તપાસમાં હત્યાની કડી મળી

મુન્દ્રા મરીન પોલિસ મથકના પી.આઇ જી વી વાણીયાને બાતમી મળેલી કે, હત્યામાં શંકાસ્પદ એવા વાલા નાગશી ગઢવીએ તારીખ 26 એપ્રિલ 2022 ના રોજ લુંટમાં ગયેલ સોનાનો બ્રેસલેટ (પોચી) ફેડ બેન્ક મુંદ્રામાં મુકી તેના પર ગોલ્ડ લોન લીધેલી છે. જેથી ન્યુ મુંદ્રા ખાતે આવેલ ફેડ બેન્કમાં જઇ તપાસ કરવામાં આવતા આરોપીએ 26 એપ્રિલ 2022 ના દીવસે ફેડબેન્કમાં બ્રેસલેટ જમા કરાવી એક લાખ દસ હજારની ગોલ્ડ લોન લીધી હતી અને જુની લોન ચાલતી હતી તે ભરપાઈ કરી દીધી હતી. પોલીસે આ બાબતે પુરાવા મેળવીને આરોપીને પુછપરછ માટે બોલાવ્યો હતો. જેમાં તે પડી ભાંગ્યો અને ગુનો કબુલી લીધો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ફી ભરવા માટે હત્યા કરી

આરોપીની પુછપરછમાં જાણવા મળ્યુ કે, આરોપીને પોતાના દીકરાના અભ્યાસ માટે ફી ભરવા માટે રૂપીયાની સખત જરૂરીયાત હતી.  મૃતક મનસુખભાઇએ શરીરે સોનાની પોંચી તથા સોનાની ચેઇન પહેરેલ હતી. જેથી લુંટના આશયે મનસુખભાઇ ઉર્ફે મનુભાઈ માવજીભાઇ સતરાને સસ્તા ભાવે જમીન અપાવવાની લાલચ આપી વડાલાથી પાવડીયારા રોડ તરફ જતા રસ્તે હનુમાન મંદીરથી આગળ રોડની ડાબી બાજુ જમીન બતાવવા માટે લઇ ગયો હતો અને બાવળની ઝાડીમાં એકલતાનો લાભ લઇ સવારના આશરે સાડા અગીયાર વાગ્યાના અરસામાં છરીના કુલ 12 ઘા મારી હત્યા નીપજાવેલ અને સોનાના દાગીના બ્રેસલેટ (પોંચી) તથા સોનાનો ચેઇન લોકેટની લૂંટ ચલાવી મુન્દ્રા આવી અને ફેડ બેન્કમાં બ્રેસલેટ જમા કરાવી લોન લીધી હતી.  સોનાનું લોકેટ તેના ઘરે મંદીર નીચે છુપાવેલું હોવાની કબુલાત પણ આપી હતી. જેના આધારે પોલિસે તપાસ શરૂ કરી છે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">