મારું ગામ, મારી પંચાયત: કચ્છના આ ગામમાં કરોડોના કામોનો દાવો! ગટર અને એજન્ટોની સમસ્યાથી લોકો ત્રસ્ત
Kutch: કચ્છના માનકુવા ગામમાં 8 હજારથી વધુ મતદારો છે. અહીં દાવો કરવામાં આવે છે કે, ગામમાં શિક્ષણ,આરોગ્ય તથા રસ્તા મુદ્દે કરોડો રૂપિયાના કામો થયા છે.
Kutch: રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના (Gram Panchayat Election) પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે હવે રાજ્યભરમાં ફોર્મ ભરાવવાની પ્રક્રિયા પણ શરુ થઇ ગઈ છે. તો TV9 ની ટીમ તમને દરરોજ એક નવા ગામની મુલાકાત કરાવે છે. ગામની શું સમસ્યા છે અને શું કામ થયા છે તેમજ ગ્રામજનોમાં ચૂંટણીને લઈને કેવો માહોલ છે, તે દરેક વાત જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો આજે મુલાકાત લેવી છે કચ્છના (Kutch) માનકુવા (Mankuva) ગામની.
જી હા મારું ગામ, મારી પંચાયતમાં આજે આપણે વાત કરવાના છીએ કચ્છના માનકુવા ગામની. આ ગામમાં 8 હજારથી વધુ મતદારો છે. અહીં દાવો કરવામાં આવે છે કે, ગામમાં શિક્ષણ,આરોગ્ય તથા રસ્તા મુદ્દે કરોડો રૂપિયાના કામો થયા છે. જેને લઇ ગામ વિકાસશીલ ગામની યાદીમાં છે. તો બીજી તરફ ગામમાં ગટરના ગંદા પાણીની સમસ્યા 3 વર્ષથી છે જેના કાયમી નિકાલની ગામલોકો માગણી કરી રહ્યા છે.
વિકાસશીલ ગણાતા આ ગામમાં ગટર ઉપરાંત ટ્રાફિક, રખડતા ઢોર પણ ગામ લોકો માટે માથાનો દુઃખાવો બન્યા છે. ત્યારે મતદારોને આશઆ છે કે આગામી સમયમાં જે પણ સરપંચ આવે તે આ સમસ્યાનો ઉકેલ લાવશે. તમને જણાવી દઈએ કે વિકાસશીલ ગામના લોકો ગટરના પાણીની સમસ્યાથી હેરાન થઇ ગયા છે. તો 3 વર્ષથી સમસ્યાનું સમાધાન ન થયાનો દાવો પણ કરવામાં આવી રહ્યું છે.
ગામજનોનું કહેવું છે કે ચોમાસામાં ગટરના પાણીના કારણે બીમારી વધે છે. તો લોકોને સરકારી સહાય મેળવવામાં પરેશાની થયાનું અહીં જાણવા મળ્યું છે. આ સાથે ટ્રાફીક, સફાઈ, રખડતાં ઢોરનો સળગતો પ્રશ્ન સહીત ગામમાં એજન્ટ રાજ ચાલતું હોવાનો દાવો પણ કરવામાં આવે છે. ગ્રામજનોનું કહેવું છે કે પંચાયતના કામ માટે એજન્ટને રૂપિયા આપવા પડે છે. તો એક ગ્રામજને જણાવ્યું કે જન્મ-મરણના દાખલા કઢાવવા માટે પણ એજન્ટને રૂપિયા આપવા પડે છે. સાથે જ ગંભીર આક્ષેપ છે કે અહીં લગ્ન નોંધણી માટે એજન્ટને 2 હજાર આપવા પડે છે.
જણાવી દઈએ કે રાજ્ય ચૂંટણી પાંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર 4 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. તો 6 ડિસેમ્બર સુધી ચૂંટણી ફોર્મની ચકાસણી થશે. EC અનુસાર 7 ડિસેમ્બર પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે.
રાજ્યભરમાં તો 19 ડિસેમ્બર ના રોજ મતદાન થશે. જો જરૂર જણાય તો ફરીથી 20 ડિસેમ્બરે મતદાન કરવામાં આવશે. આ મતદાનની મતગણતરી 21 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા 24 ડિસેમ્બરે પુન કરવામાં આવશે. ચૂંટણીની સમગ્ર મતદાનની વ્યવસ્થા માટે 17 પ્રાંત અધિકારીઓને જવાબદાર સોંપવાની માહિતી પણ સામે આવી છે.
આ પણ વાંચો:ઘોર બેદરકારી: વરસાદમાં ભાવનગર માર્કેટ યાર્ડમાં પાકની 25 હજાર ગૂણી પલળી ગઈ! સાવચેતીના અભાવે નુકસાન
આ પણ વાંચો: ઓમિક્રોનની અસર: દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાંથી વડોદરા આવેલા 85 મુસાફરો ક્વૉરન્ટાઇન, જાણો વિગત