KUTCH : માંડવીનો 130 વર્ષ જુનો રૂકમાવતી પુલ જર્જરીત બનતા વાહન વ્યવહાર-રાહદારીઓ માટે સંપૂર્ણ બંધ
130 વર્ષ કરતા વધુ સમય પહેલા બનેલા આ પુલને થોડા સમય પહેલા જર્જરીત બનતા બંધ કરાયો હતો. અને ત્યારબાદ રાજ્ય સરકારે તેની સમકક્ષ 11 મીટર પહોડો અને 200 મીટર લાંબા પુલનુ નિર્માણ કર્યુ હતુ.
કચ્છના બંદરીય શહેર માંડવીના રમણીય દરિયાકિનારે જાવો એટલે કચ્છની પ્રખ્યાત દાબેલી, તૈયાર થતા જહાજો, ઐતિહાસીક વિજય વિલાસ પેલેસ જેવા સ્થળોની યાદ આવે અને જોવાનું મન થાય. પરંતુ આવું જ એક ઐતિહાસીક સ્થળ એટલે માંડવીનો રૂકમાવતી પુલ. ચોક્કસ સમય જતા શહેરને જોડતા માર્ગ પર પહેલા કોઝવે અને તાજેતરમાં જ નવા બિર્જનું 11.85 કરોડના ખર્ચે નિર્માણ થયો છે. પરંતુ શહેરમાં પ્રવેશવા માટે 130 વર્ષ પહેલા બનેલા પુલની પણ કંઇક અલગજ યાદો છે. દરિયાના ખારા પાણી વચ્ચે પણ 130 વર્ષ કરતા વધુ સમય સુધી પુલ અડીખમ રહ્યો અને હમણા સુધી લોકો તેના પર અવર-જવર કરતા હતા.
જોકે નવા બ્રીજના નિર્માણ પછી હવે જુનો બ્રીજ સંપુર્ણ વાહનવ્યવહાર અને રાહદારીઓ માટે જર્જરીત બનતા બંધ કરી દેવાનો હુકમ કરાયો છે. અંગ્રેજોના સમયમાં આ પુલ પથ્થરોના ચણતર વચ્ચે મજબુત રીતે બનાવાયો હતો. અને 100 વર્ષની મજબુતીની ગેરંટી સાથે જેના પરથી અસંખ્યા વાહનો પસાર થયા, અનેક વખત નદીમાં પુર આવ્યા. પરંતુ છંતા તે પુલ અડીખમ રહ્યો અને તેથી જ માંડવીની ઓળખ સાથે આ પુલની પણ એક અલગ ઓળખ વિશ્વમાં છે.
કલેકટરે પુલ જર્જરીત બનતા જાહેરનામું બહાર પાડ્યું
130 વર્ષ કરતા વધુ સમય પહેલા બનેલા આ પુલને થોડા સમય પહેલા જર્જરીત બનતા બંધ કરાયો હતો. અને ત્યારબાદ રાજ્ય સરકારે તેની સમકક્ષ 11 મીટર પહોડો અને 200 મીટર લાંબા પુલનુ નિર્માણ કર્યુ હતુ. જોકે ત્યાર બાદ પણ પુલ અવર-જવર માટે ચાલુ રખાયો હતો. પરંતુ કાર્યપાલક ઇજનેર રાષ્ટ્રીય ઘોરીમાર્ગ,ગાંઘીઘામએ એક દરખાસ્ત કરેલ જે બાબતે જુનો રૂકમાવતી મેજર બ્રીજ નબળો પડી ગયેલ હોવાનુ ધ્યાને આવ્યુ હતુ. જેમાં અકસ્માતના બનતા બનાવો ઉપર નિયંત્રણ લાવવા માટે સામાન્ય વાહન વ્યવહાર તથા રાહદારીઓ માટે જુના બ્રીજ પરનો રસ્તો સંપૂર્ણ બંધ ક૨વા જરૂરી જણાતા જીલ્લા કલેકટર પ્રવિણા ડી.કે. દ્વારા ભારે/અતિભારે માલ વાહક વાહનો/દ્વિચક્રી વાહનો તથા રાહદારીઓ માટે બંધ કરવાનુ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ છે.
પુલમાં તીરોડો પડી છે. અને જર્જરીત બનતા અકસ્માતની શક્યતાને લઇ આ હુકમ કરાયો છે. તો પુલ બંધ કરવા સાથે વાંચા સુચનો પણ મંગાવાયા છે. અને ત્યાર બાદ સંપુર્ણ હુકમ કરવામા આવશે જો કે વર્ષોથી અવર-જવર કરતા લોકો હવે માંડવીના રૂકમાવતી પુલ પરથી પસાર નહી થઇ શકે. રૂકમાવતી પુલ જેવી મજબુતી અને કામગીરી ધરાવતા પુલ હવે ખુબ ઓછા રહ્યા છે.