Kutch: PM મોદીની ગુજરાત મુલાકાત પહેલા ભુજમાં કોમી તણાવ, ભારે પોલીસદળ તૈનાત

Kutch: ભુજના માધાપર ગામમાં સામ્પ્રદાયિક તણાવ બાદ મોટી સંખ્યામાં પોલીસન કાફલો તૈનાત કરી દેવામાં આવ્યા છે. જે ગામમાં આ કોમી તણાવ સર્જાયો ત્યાંથી નજીક જ પીએમ મોદીનો આજે કાર્યક્રમ છે.

Kutch: PM મોદીની ગુજરાત મુલાકાત પહેલા ભુજમાં કોમી તણાવ, ભારે પોલીસદળ તૈનાત
FILE PHOTO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2022 | 1:20 PM

કચ્છ જિલ્લામાં ભુજ(Bhuj) શહેર નજીક આવેલ માધાપર ગામમાં શુક્રવારે સાંજે કોમી તણાવ (Communal Tension)ની સ્થિતિ બની હતી. જેને લઈને મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને ખડકી દેવામાં આવ્યા છે. એક પોલીસ અધિકારીએ આ અંગે જાણકારી આપી છે. માધાપર ગામ ભૂકંપ પીડિતોની યાદમાં બનાવવામાં આવેલા સ્મૃતિ વન સ્મારકથી માત્ર 4 કિલોમીટરના અંતરે આવેલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) રવિવારે આ સ્મારકનું ઉદ્દઘાટન કરવાના છે. કચ્છ-પશ્ચિમના પોલીસ વડાએ જણાવ્યુ કે હવે સ્થિતિ નિયંત્રણમાં છે.

પોલીસ સૂ્ત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એક સમુદાયના સદસ્યોએ બીજા સમુદાય પર હુમલો કર્યો અને તેમની દુકાનો અને પ્રાર્થના સ્થળમાં તોડફોડ કરી હતી. તેમણે જણાવ્યુ કે ભુજ બહારના વિસ્તારમાં માધાપરના પરેશ રબારી નામના યુવકની હત્યા બાદ રબારી સમુદાયમાં રોષ ફેલાયો છે.

યુવકની હત્યા બાદ વધ્યો તણાવ

તેમણે જણાવ્યુ કે સ્થાનિક એક કોમના ઝઘડામાં શુક્રવાર સવારે એક શખ્સે ચાકુ મારી યુવક હત્યા કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ યુવકના અંતિમ સંસ્કાર બાદ પરત ફરતી વખતે આક્રોષિત ભીડે દુકાનો અને એક પ્રાર્થનાસ્થળે તોડફોડ કરી હતી. જો કે પોલીસ તાત્કાલિક સ્થિતિ પર કાબુ કરી લીધો હતો. કચ્છ-પશ્ચિમના પોલીસ અધિક્ષક સૌરભસિંહે જણાવ્યુ કે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. આ અંગે વધુ કોઈ જાણકારી પોલીસ દ્વારા આપવામાં આવી ન હતી.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

હાલ PM નરેન્દ્ર મોદી પણ ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. તેમની મુલાકાતના પ્રથમ દિવસે PM મોદી સાંજે સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત ખાદી ઉત્સવ કાર્યક્રમમાં એક સભાને સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા ફુટ ઓવરબ્રિજનુ ઉદ્દઘાટન કરશે. તેમની ગુજરાત મુલાકાતના બીજા દિવસે એટલે કે 28 ઓગષ્ટે PM મોદી કચ્છની મુલાકાત કરશે.

ભુજિયા ડુંગર પર બનાવવામાં આવ્યુ છે સ્મૃતિવન

નિયત કરાયેલા કાર્યક્રમ મુજબ PM મોદી અહીં સ્મૃતિ વન સહિત એક ડઝનથી વધુ પરિયોજનાઓનું ઉદ્દઘાટન અને ભૂમિપૂજન કરશે. સ્મૃતિ વન કચ્છ જિલ્લાના ભુજ કસ્બા નજીક ભુજિયા ડુંગર પર બનાવવામાં આવ્યુ છે. PM મોદીએ જ્યારે તેઓ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે આ સ્મારક-કમ-મ્યુઝિયમની કલ્પના કરી હતી અને હવે તેઓ વડાપ્રધાન તરીકે તેનું ઉદ્ઘાટન કરશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">