Junagadh : પાકનું વાવેતર કર્યા બાદ ચોમાસુ ખેંચાતા, જગતના તાતની વધી મુશ્કેલી

જુનાગઢમાં 60% ખેડુતોએ મગફળીનું વાવેતર કર્યું છે. ત્યારે હાલ ચોમાસુ ખેંચાતા ખેડુતોને પાક નુકશાનની ભિતી સેવાઈ રહી છે. કારણ કે સૌરાષ્ટ્રની મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2021 | 9:50 AM

સામાન્ય રીતે, જુન મહિનામાં ચોમાસુ (Monsoon) ચાલુ થતું હોય છે, પરંતુ આ વર્ષ ચેમાસુ ખેંચાયું છે. જેને કારણે જુનાગઢના ખેડુતોએ આડી મગફળીના વાવેતરની જગ્યાએ ખેડુતો ઉભરી મગફળીનું વાવેતર કરવા માટે મજબુર બન્યા છે.

જો કે,આ ઉભરી મગફળીને કારણે ખેડુતોને કેટલાક ફાયદા પણ મળે છે. જેમાં આ મગફળીનું વાવેતર ઓછી જગ્યામાં થઈ શકે છે. ઉપરાંત આ મગફળીને (Groundnut) પાણીની પણ ઓછી જરૂરિયાત રહે છે.

પરંતુ કૃષિ નિષ્ણાંતનું (Agricultural Specialist) માનીએ તો, જો એક સપ્તાહમાં વરસાદ આવશે તો ઉભરી મગફળીને જીવનદાન મળશે.અન્યથા, પાકમાં સુકારો અને ચુસિયા પ્રકારનો રોગ આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, જુનાગઢમાં 60% ખેડુતોએ (Farmer) મગફળીનું વાવેતર કર્યું છે અને સૌરાષ્ટ્રમાં મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત હોય છે. ત્યારે હાલ ચોમાસુ ખેંચાતા ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

કૃષિ નિષ્ણાંતે જણાવ્યું હતું કે, ઉભરી મગફળી ખેડુતોને ઘણી ફાયદાકરાક છે, પરંતુ વરસાદ ખેંચાતા આ મગફળીમાં ચુસિયા પ્રકારની જીવાત આવી શકે છે. જે માટે ખેડુતોએ જંતુનાશક દવાનો ઉપયોગ કરવો જરૂરી છે.

મહત્વપૂર્ણ છે કે,આખુ વર્ષ ધરતીપુત્રો ચોમાસાની વાટ જોઈને બેઠા હોય છે, પણ હાલની સ્થિતિ એવી છે કે ચોમાસું બેસી ગયું હોવા છતાં વરસાદ ન થતા ખેતરોમાં પાક (Crops) સુકાઈ રહ્યા છે. તો બીજી તરફ ડેમ પણ તળિયા ઝાટક થઈ જતા ખેડુતોને પાક નુકશાનની ભિતી હાલ સેવાઈ રહી છે.

 

આ પણ વાંચો : સુરેન્દ્રનગર : નાગરિકો પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતા પાલિકાને કરી રજુઆત, પગલા ભરવામાં નહીં આવે તો ઉચ્ચારી આંદોલનની ચીમકી

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">