Junagadh પાલિકાને પાણી પુરૂં પાડતા જળાશયોમાં જુલાઇ સુધીનું જ પાણી, ચાર ડેમમાં માત્ર 30 ટકા પાણી

આમ જોવા જઈએ તો હાલ તો જૂનાગઢમાં (Junagadh) પાણીની કોઇ સમસ્યા નથી પરંતુ સિંચાઇ અને પાણી રિઝર્વ રાખવાના ડેમોમાં જથ્થો ઓછો થતો જાય છે. આ સ્થિતિ જોતાં વિસાવદર, ભેસાણ, વંથલી, માળીયાહાટી અને માણાવદર આ ચાર તાલુકામાં થોડી ઘણી પાણીની અછત વર્તાઈ શકે તેવી સંભાવના છે.

Junagadh પાલિકાને પાણી પુરૂં પાડતા જળાશયોમાં જુલાઇ સુધીનું જ પાણી, ચાર ડેમમાં માત્ર 30 ટકા પાણી
Junagadh Municipal Corporation (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 7:39 PM

ગુજરાતમાં આગ ઝરતી ગરમીની શરુઆત થઇ ગઇ છે.  ઉનાળો (Summer) શરુ થતા જ હવે જુનાગઢમાં (Junagadh) પાણીની સમસ્યા ઉભી થવાની સંભાવના છે. ઊનાળો માથા પર છે અને જૂનાગઢ જિલ્લાના 17 જળાશયોમાંથી ચાર જળાશયોમાં 30 ટકા કરતા પણ ઓછું પાણી છે. આ જોતાં અહીંના તાલુકાઓમાં પાણીની સમસ્યા સર્જાય તેમ છે. ત્યારે જુનાગઢવાસીઓમાં અત્યારથી જ પાણીની સમસ્યા (Water Crisis) ઊભી થવાની ચિંતા સતાવી રહી છે. ત્યારે એ જાણવાનો પ્રયાસ કરીએ કે જૂનાગઢમાં આવનારા મહિનાઓમાં પાણીની સ્થિતિ કેવી રહેશે.

ડેમોમાંથી કેટલાકમાં 50 ટકાથી ઓછો જથ્થો

આકરો બનતો ઊનાળો હવે તપી રહ્યો છે. ત્યારે જૂનાગઢવાસીઓને હવે પીવાનું પાણી, સિંચાઈનું પાણી અને ઢોર ઢાંખર માટે પણ પાણીની વ્યવસ્થાની સમસ્યા ઊભી થશે. જોકે જૂનાગઢની વાત કરીએ તો અહીં જિલ્લામાં કુલ 17 ડેમ આવેલા છે. જેમાંથી જૂનાગઢ મહાનગરપાલિકાને પીવાનું પાણી પુરૂં પાડતા જળાશયોમાં હજુ જુલાઇ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે. શહેરમાં આવેલા વિલીંગ્ડન ડેમ, શહેરની બહાર આવેલા હસ્નાપુર ડેમ અને આણંદપુર ડેમમાંથી પીવાનું પાણીનું વિતરણ કરવામાં આવે છે.આ ઉપરાંત શહેરમાં આવેલ કૂવા, બોર, ડંકીમાંથી પણ પાણી મેળવવામાં આવે છે. જેની સાથે મોટાભાગના જળાશયોમાંથી સિંચાઈ અને પીવાનું પાણી રિઝર્વ રાખવામાં આવે છે. આ ડેમોમાંથી કેટલાકમાં 50 ટકાથી ઓછો જથ્થો છે તો કેટલાકમાં તેનાથી વધારે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

બીજી તરફ વિસાવદર તાલુકાનો ઝાંઝશ્રી ડેમ, ભેસાણનો મોટા ગુજરીયા ડેમ, ભેસાણનો જ કુબેર ડેમ, વંથલી તાલુકાનો સાબલી ડેમ, માળીયાહાટીના તાલુકાનો વ્રજમી ડેમ અને માણાવદર તાલુકાનો બાટવા ખારો ડેમ આ તમામ ડેમોમાં 25 થી 30 ટકા જેટલો પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે. એટલે કે આગામી એક બે મહિના સુધી ચાલી શકે તેટલો જ જથ્થો હવે બચ્યો છે એવું અધિકારીઓનું કહેવું છે.

આમ જોવા જઈએ તો હાલ તો જૂનાગઢમાં પાણીની કોઇ સમસ્યા નથી પરંતુ સિંચાઇ અને પાણી રિઝર્વ રાખવાના ડેમોમાં જથ્થો ઓછો થતો જાય છે. આ સ્થિતિ જોતાં વિસાવદર, ભેસાણ, વંથલી, માળીયાહાટી અને માણાવદર આ ચાર તાલુકામાં થોડી ઘણી પાણીની અછત વર્તાઈ શકે તેવી સંભાવના છે.

આ પણ વાંચો-આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે સાબરમતી ગાંધી આશ્રમથી કોંગ્રેસની આઝાદી ગૌરવ યાત્રા, 1171 કિમીનું અંતર કાપીને દિલ્હી પહોંચશે

આ પણ વાંચો-Gandhinagar: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો, પોલીસ પર કાર ચઢાવવા મામલે ધરપકડ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">