Junagadh: ખેડૂતોની વિવિધ મુશ્કેલી દુર કરવા કિસાન સંઘની બેઠકમાં રણનીતિ નક્કી કરાઈ, વિવિધ સહાય ઝડપથી પહોચે તેવી માગ
Junagadh : ભારતીય કિસાન સંઘની જિલ્લા કક્ષાની બેઠક મળી કૃષિ યુનિવર્સિટી (Agricultural University) સરદાર સ્મૃતિ કેન્દ્રના કિસાન વિકાસ ભવન (Kisan Vikas Bhavan) ખાતે મળી હતી. આ બેઠકમાં ખેડૂતો (Farmer)ને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી આગળની રણનિતી નક્કી કરવામાં આવી હતી.
Junagadh : કૃષિ યુનિવર્સિટી (Agricultural University) સરદાર સ્મૃતિ કેન્દ્રના કિસાન વિકાસ ભવન (Kisan Vikas Bhavan) ખાતે મળી હતી. આ બેઠકમાં ખેડૂતો (Farmer)ને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી આગળની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. બિયારણની ખરીદી (seeds Purchase), વાવેતર, વરસાદ ખેંચાયાની ચિંતા સહિતના મુદ્દે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
કોરોના (corona)મહામારીમાં પ્રથમ વખત કિસાન સંઘની મિટિંગ મળી હતી. જેમાં સરકારને રજુઆત કઈ રીતે કરવી અને ખેડૂતો એ લીધેલા બેન્કમાંથી ધિરાણને સરકાર દ્વારા માફ કરવા અને હાલ માં ખેડૂતો ની સ્થિતિ દયનિય છે. જેમાં સરકારે ચિંતા કરવી જોઈએ અને છેલ્લા બે સપ્તાહ થી વરસાદ નથી. ભારતીય કિસાન સંઘની જિલ્લા કક્ષાની બેઠક મળી હતી.
મુખ્યમંત્રી કિસાન સહાય યોજના (Mukhyamantri Kisan Sahay Yojana)જ્યારે લાગુ કરવામાં આવી છે તો તેમનો તાત્કાલિક અમલ કરી ખેડૂત (Farmer) સુધી સહાય પહોંચે તેવી માગ છે અને પોતાના ખેતરમાં કરેલા બિયારણ ના વાવેતર પણ નિષ્ફળ જશે અને જે પાક વિમાની રકમ બાકી છે તે પણ ચૂકવી આપવી જોઈએ અને ખેડૂતોના ખેતરોમાં હજુ વીજળી (Electricity) પહોંચી નથી. ત્યાં આગામી દિવસોમાં વીજળીના કેબલ અન્ડર ગ્રાઉન્ડ ફીટ કરવામાં આવે ખેડૂતોના ખેતર સુધી વીજળી (Electricity)પહોંચે.
આગામી દિવસોમાં જો સરકાર ખેડૂતોના પ્રશ્નો ઉકેલવામાં નહિ આવે તો ખેડૂતો (Farmer) રોડ પર ઉતરશે તેમની સાથે કિસાન સંઘ અડીખમ ઉભો રહશે અને આંદોલન પણ કરવામાં આવશે 2022 ની ચૂંટણીમાં સરકારથી ખેડૂત વિમુખ થશે તેવી ચીમકી આપવામાં આવી.