જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીમાં આચાર્ય પક્ષનો વિજય, દેવ પક્ષે પણ આ વિભાગની 2 બેઠક પર મેળવી જીત
જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીમાં આચાર્ય પક્ષ વિજયી થતા સત્તાનું પુનરાવર્તન થયુ છે. રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં આચાર્ય પક્ષ કુલ 7માંથી 5 બેઠક પર બહુમતી મેળવી વિજયી બન્યો છે. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં સાત બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ગૃહસ્થ વિભાગની ચાર અને પાર્ષદ વિભાગની એક એમ કુલ 5 બેઠક પર આચાર્ય પક્ષના ઉમેદવારો વિજયી બન્યા […]
જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીમાં આચાર્ય પક્ષ વિજયી થતા સત્તાનું પુનરાવર્તન થયુ છે. રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં આચાર્ય પક્ષ કુલ 7માંથી 5 બેઠક પર બહુમતી મેળવી વિજયી બન્યો છે. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં સાત બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ગૃહસ્થ વિભાગની ચાર અને પાર્ષદ વિભાગની એક એમ કુલ 5 બેઠક પર આચાર્ય પક્ષના ઉમેદવારો વિજયી બન્યા છે.
જ્યારે સંત વિભાગની બંને બેઠક પર દેવ પક્ષના ઉમેદવારનો વિજય થયો છે. ચૂંટણીનું પરિણામ જાહેર થતા જ આચાર્ય પક્ષ અને તેમના સમર્થકોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જૂનાગઢ મંદિરમાં છેલ્લા 10 વર્ષથી આચાર્ય પક્ષનું શાસન છે ત્યારે ચૂંટણીમાં આચાર્ય પક્ષનો વિજય થતા આચાર્ય અજેન્દ્ર પ્રસાદના આચાર્ય પક્ષની જ સત્તા રહેશે. આમ આ પરિણામ બાદ સત્તાનું પુનરાવર્તન થયું છે.
આ પણ વાંચો: દેશનું એકમાત્ર પરિવાર જેને આપ્યા છે આજ સુધીમાં કુલ 27 વખત સાંસદ!