ગિરનાર રોપ-વેની ટિકિટના ભાવ ઘટાડવાની માગ, કોંગ્રેસના ધારાસભ્યએ સીએમને લખ્યો પત્ર
જૂનાગઢના ગિરનારમાં રોપ-વેની ટિકિટ ઘટાડવા મામલે કોંગ્રેસના ધારાસભ્યએ CMને પત્ર લખ્યો છે. રોપ-વેની ટિકિટનો ભાવ ઘટાડવા માટે ભીખાભાઈ જોશી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સાથે જ તેમણે કહ્યું કે સામાન્ય અને મધ્યમવર્ગ માટે ટિકિટનો આ ભાવ ખૂબ વધારે છે. પાવાગઢમાં 150 રૂપિયા ટિકિટનો ભાવ તો ગિરનારમાં 750 કેમ? તેવો સવાલ પણ કર્યો. અને કહ્યું કે […]
જૂનાગઢના ગિરનારમાં રોપ-વેની ટિકિટ ઘટાડવા મામલે કોંગ્રેસના ધારાસભ્યએ CMને પત્ર લખ્યો છે. રોપ-વેની ટિકિટનો ભાવ ઘટાડવા માટે ભીખાભાઈ જોશી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સાથે જ તેમણે કહ્યું કે સામાન્ય અને મધ્યમવર્ગ માટે ટિકિટનો આ ભાવ ખૂબ વધારે છે. પાવાગઢમાં 150 રૂપિયા ટિકિટનો ભાવ તો ગિરનારમાં 750 કેમ? તેવો સવાલ પણ કર્યો. અને કહ્યું કે પાવાગઢથી ત્રણ ગણી ઉંચાઈ છે તો ભાવ પણ ત્રણ ગણો રાખવામાં આવે. 6 ગણો વધારે ભાવ હોવાથી ટિકિટના દરમાં ઘટાડો કરવાની માગ કરાઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો