કોણ હશે Rajkot અને Jamnagarના નવા મેયર ?

રાજ્યમાં ત્રણ મહાનગર પાલિકાના મેયરની આજે પસંદગી કરવામાં આવશે. સુરતના મેયરની પસંદગી કરાઈ ચૂકી છે. જ્યારે બાકીના બે શહેર જામનગર, અને રાજકોટના મેયરની પસંદગી શુક્રવાર 12 માર્ચે કરવામાં આવશે.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 12, 2021 | 10:03 AM

રાજ્યમાં ત્રણ મહાનગર પાલિકાના મેયરની આજે પસંદગી કરવામાં આવશે.  બાકીના ત્રણ શહેર જામનગર  અને રાજકોટના મેયરની પસંદગી શુક્રવારે કરવામાં આવશે.
રાજકોટના (Rajkot) નવા મેયર, ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. રાજકોટ (Rajkot) મનપાના 21 માં મેયરનુ નામ આજે જાહેર થશે. બપોરે 11 કલાકે મહાનગરપાલિકાની જનરલ બોર્ડ મળશે. જેમાં પદાધિકારીઓના નામની જાહેરાત થશે. મેયર પદ માટે ઓબીસી અનામત હોવાથી આહીર સમાજ, પ્રજાપતિ સમાજ તેમજ કોળી સમાજના ભાજપના ચૂંટાયેલા આશરે ચાર સંભવિત કોર્પોરેટરોના નામ ચર્ચામાં છે. કોને મેયર પદ મળશે અને કોને સ્ટેન્ડીંગ કમિટી સહિતની જવાબદારી મળશે તેની સત્તાવાર જાહેરાત થશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">