Jamnagar: પ્રીમોન્સુન માટેની કામગીરીનો પ્રાંરભ, 58.42 લાખના ખર્ચે એક માસ સુધી ચાલશે કામગીરી

જામનગર મહાનગર પાલિકા દ્વારા વરસાદ પહેલા પ્રીમોન્સુનનો (Premonsoon) એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આશરે 58 લાખના ખર્ચે શહેરમાં પ્રીમોન્સુનની કામગીરી કરાશે. જે કામગીરીનો પ્રાંરભ કરવામાં આવ્યો છે.

Jamnagar: પ્રીમોન્સુન માટેની કામગીરીનો પ્રાંરભ, 58.42 લાખના ખર્ચે એક માસ સુધી ચાલશે કામગીરી
Jamnagar premonsoon work
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: May 13, 2022 | 7:43 PM

જામનગર મહાનગર પાલિકા (Jamnagar Municipal Corporation) દ્વારા વરસાદ પહેલા પ્રીમોન્સુનનો (Premonsoon) એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આશરે 58 લાખના ખર્ચે શહેરમાં પ્રીમોન્સુનની કામગીરી કરાશે. જે કામગીરીનો પ્રાંરભ કરવામાં આવ્યો છે. દર વર્ષે મહાનગર પાલિકા દ્વારા વરસાદ પહેલા પ્રીમોન્સુન કામગીરી કરવામાં આવે છે. આ વખતે પણ જામનગર મહાનગર પાલિકાએ કુલ રૂપિયા 58,42,100 ના ખર્ચે પ્રીમોન્સુન કામગીરી શરૂ કરવામાં આવી છે.

કુલ 11 જગ્યાએ આશરે 38 કીમીના વિસ્તારમાં કામગીરી કરવામાં આવશે. મહાનગર પાલિકાની ટીમને કામની સોપણી કરીને નિયત સમયમાં કામગીરી પુર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. અને આ માટે વિવિધ 6 એજન્સીઓને કામ ટેન્કર પ્રકિયાથી આપવામાં આવ્યુ છે. વરસાદ બાદ શહેરમાં પાણી ન ભરાય તે માટે પ્રીમોન્સુન કામગીરીની આયોજન કરવામાં આવ્યુ છે. જે કામગીરીના આજથી પ્રાંરભ કરવામાં આવ્યો છે. 3 વિભાગમાં કામગીરીનો પ્રાંરભ કરવામાં આવ્યો છે. જે એક માસ સુધીમાં પુર્ણ કરવાનુ આયોજન સાથે અમલીકરણ શરૂ કરવામાં આવ્યુ છે.

સોલીડ-વેસ્ટ શાખા દ્વારા માઈક્રો પ્લાનીંગ

વરસાદ પહેલા મહાનગર પાલિકાના અધિકારીઓ દ્રારા અગાઉથી પ્રીમોન્સુન કામગીરીનો માઈક્રો પ્લાનીંગ કરવામાં આવ્યુ છે. બે સપ્તાહ પહેલા કમિશ્નર સહીતના અધિકારી દ્રારા મીટીંગ કરીને આયોજન કરવામાં આવ્યુ હતું. જે બાદ ટેન્કર પ્રક્રિયા કરીને 6 એજન્સીઓને કામ આપવામાં આવ્યુ છે. કામ સાઈડ પર કમિશ્નર સહિતના અધિકારી દ્વારા સ્થળ મુલાકાત લઈને સોલીડ-વેસ્ટ શાખાની ટીમને કામ પર મોનીટરીંગ કરીને ડે-ટુ-ડેનો અહેવાલ ફોટા સાથે રજુ કરવાની સુચના આપવામાં આવી છે. ચોમાસા પહેલા, ચોમાસા દરમ્યાન અને ચોમાસા બાદ પણ કેનાલની સફાઈ તેમજ તેમા અવરોધ દુર કરવાની કામ એજન્સીને સોપવામાં આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પ્રીમોન્સુન કામગીરી પર વિપક્ષના આક્ષેપો

મહાનગર પાલિકા દ્વારા કાગળ પર તો કરવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં અનેક સ્થળો યોગ્ય રીતે કામગીરી થતી નથી. સરકારી કાગળ પર સબ સલામતની નોધ કરવામાં આવે છે. શહેરના અનેક વિસ્તારોમાં કેનાલોની સફાઈ થઈ નથી. શહેરના મુખ્ય માર્ગો પર આવેલી ખુલ્લી કેનાલ પર યોગ્ય રીતે સફાઈ નહી થાય તો વરસાદ પાણીનો નિકાલ નહી થઈ શકે. અને પહેલા વરસાદ બાદથી શહેરમાં પાણી ભરાતા હોવાની વ્યાપક ફરીયાદો ઉઠશે. વિપક્ષે માંગ કરી જે પ્રમાણે કાગળ પર કામગીરી થાય છે. તે મુજબ વાસ્તવમાં તેનો અમલ થાય તે જરૂરી છે. ગત વર્ષે શહેરમાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. આ વખતે આવુ થશે તો વિપક્ષ દ્રારા તેને ઉગ્ર વિરોધ કરાશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">