JAMNAGAR NEWS : કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં પ્રદર્શનો, ક્રિકેટ એસોસિયેશન દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન
વેસ્ટર્ન રેલવે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની બેઠક યોજાઈ હતી. તો કોંગ્રેસ દ્વારા શહેરમાં મોંઘવારીના વિરોધમાં પ્રદર્શનો યોજાયા હતા. જેમાં કોંગ્રેસીઓ અને પોલીસ વચ્ચે ચકમક થઇ હતી.
JAMNAGAR NEWS : વેસ્ટર્ન રેલવે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિના સભ્યોએ જામનગરના લોકો સાથે પરામર્શ કરી, અભિપ્રાય લઇ, જામનગર સ્ટેશન પર ઉપલબ્ધ યાત્રી સુવિધાઓ અંગે સૂચન કરવામાં આવ્યા છે. સાથે જ જામનગર સ્ટેશન પર ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
જામનગરના સાંસદ પૂનમબેન માડમના સક્રિય પ્રયાસોથી જામનગર રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ ઉપલબ્ધ કરાવવામાં આવેલો છે, તથા ફૂટ ઓવર બ્રિજ માટે લિફ્ટની વ્યસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત જામનગર સ્ટેશન સુધી ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ કરી ખંભાળિયા સ્ટેશનથી આગળ આ કામગીરી ધપાવવામાં આવેલ છે. તેની માહિતી મેળવેલ, ચર્ચાના અંતમાં બંને સૂચન અંગે યોગ્ય કરવા રેલવે દ્વારા ખાતરી આપવામાં આવેલ.
મોંઘવારી મુદે રસ્તા પર દેખાવ કરતી કોંગ્રેસને પોલીસે દેખાડયો રંગ
જામનગર શહેર કોંગ્રેસ દ્વારા છેલ્લા પાંચ દિવસથી અલગ-અલગ વોર્ડમાં મોંઘવારીનો અનોખો રીતે વિરોધ વ્યકત કરવામાં આવે છે. કયારેક નાટક, તો બેનરો સાથે આજે મોંધવારી મુદે ગેસના બાટલા, બાઈકની નનામી કાઢી વિરોધ વ્યકત કર્યો હતો. શહેરના વોર્ડ નંબર 12 માં માંડવી ટાવર નજીક વિરોધ કરતી વખતે પોલીસ કર્મચારી અને શહેર પ્રમુખ વચ્ચે બોલાચાલી થઈ હતી.
જામનગર ક્રિકેટ એસોશિયેશન દ્વારા કોરોના વોરિયર્સનુ સન્માન
કોરોનીની બીજી લહેરમાં લોકોને ઘરબેઠા માહિતી માર્ગદર્શન અને તબીબી સારવાર જામનગરના 50 જેટલા યુવાનો આપી હતી. તેમજ આ સ્વયંશકિત ગ્રુપના યુવાનોએ ત્રીજી લહેર પહેલા 400થી વધુ ગામમાં રેકી કરીને તેવી સ્થિતીમાં સક્રિય કામગીરી થઈ શકે લોકોને મદદરૂપ થવાનું હાલથી આયોજન કર્યુ છે. સાથે વિવિધ સેવાકીય પ્રવૃતિ બદલ જામનગર ક્રિકેટ એસોશિયેશન દ્રારા સ્વયંશકિત ગ્રુપના 50 યુવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કોરોના અપડેટ- જામનગર જીલ્લામાં કોરોના મરણપથારી હોય તેવી સ્થિતી જોવા મળે છે. છેલ્લા એક સપ્તાહથી સિંગલ ડીઝીટમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. આજે ગ્રામ્ય વિસ્તારમાં એક અને શહેર વિસ્તારમાં એક એમ કુલ માત્ર બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે.
વરસાદ અપડેટ-
જામનગર જીલ્લામાં શનિવારે વરસાદી વાતાવરણ બંધાયું હતું. તો જામજોધપુર અને કાલાવડ પંથકમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. રવિવાર દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીથી લોકો પરેશાન થયા. રવિવારની સાંજે 4 થી 6 વચ્ચે બે કલાકમાં જામજોધપુર પંથકમાં ઈંચ વરસાદ નોંધાયો છે. બે દિવસથી જામજોધપુર તાલુકામાં થયેલા વાવણીલાયક વરસાદ થથા ખેડુતો ખુશખુશાલ થયા છે. જોકે શનિવારે લાલપુર તાલુકાના ખડબા ગામમાં બે બળદ અને એક વ્યકિતનું મોત થયું હતું.