Jamnagar : મનપાની કવાયત, 100 જેટલી જર્જરીત ઈમારતોને આપવામાં આવી નોટીસ

Jamnagar News : દર વર્ષે ચોમાસા પહેલા ટીપીઓ શાખા દ્રારા શહેરની જર્જરીત ઈમારતોનો (Building) સર્વે કરીને નોટીસ આપવાની કામગીરી થાય છે.

Jamnagar : મનપાની કવાયત, 100 જેટલી જર્જરીત ઈમારતોને આપવામાં આવી નોટીસ
jamnagar municipal corporation issued notice
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: May 19, 2022 | 11:35 AM

જામનગર શહેરમા (Jamnagar City) અનેક ઈમારતો ખંડેર હાલતમાં છે. મહાનગર પાલિકા (Jamnagar Municipal Corporation)  દ્રારા દર વર્ષે ઈમારતોનુ સર્વે કરવામા આવે છે. બાદ વખતો વખત નોટીસ આપવામા આવે છે. આજે પણ આવી ઈમારતો પડવાના વાંકે ઉભી છે. જામનગર શહેરમાં અનેક ઈમારતો ભયજનક છે. કોઈ પણ સમય પડે તેવી સ્થિતિ છે. મહાનગર પાલિકાની ટીપીઓ શાખા દ્રારા આ માટે ખાસ 5 ટીમ તૈયાર કરવામાં આવી છે.

શહેરમાં કુલ 136 ઈમારતો જર્જીરીત હોવાનુ સામે આવ્યુ

જેના 12 સભ્યો દ્રારા કુલ 16 વોર્ડમાં સર્વે કરવામાં આવ્યો. સર્વેમાં શહેરમાં કુલ 136 ઈમારતો જર્જીરીત હોવાનુ સામે આવ્યુ છે.જેમાં સૌથી વધુ જર્જરિત 100 ઈમારતોને નોટિસ આપવામાં આવી છે.દર વર્ષે ચોમાસા પહેલા ટીપીઓ શાખા દ્રારા શહેરની જર્જરીત ઈમારતોનો(Building)  સર્વે કરીને નોટીસ આપવાની કામગીરી થાય છે. શહેરમાં કોઈ જગ્યાએ કે આસપાસમાં કોઈ જોખમી કે જર્જરીત ઈમારત હોય તેની જાણ ટીપીઓ શાખા કરવા મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે.

જર્જરીત ઈમારતના માલિકોને મહાનગર પાલિકા દ્વારા નોટીસ

જર્જરીત ઈમારતના માલિકોને મહાનગર પાલિકા દ્વારા નોટીસો ફટકારવામા આવી છે.હાલ અનેક ઈમારતો મકાન માલિક અને ભાડુઆતના વિવાદમાં ઈમારતો જેમની તેમ છે. વર્ષોથી જુની ઈમારતોમાં રહેતા ભાડુતો અને મકાનમાલિકો સાથેના વિવાદના કારણે સમયસર રીપેરીંગ ના થતા ઈમારત જર્જરીત બનતી હોય છે. કોણ રીપેર કરાવે તે અંગે પણ વિવાદ હોય તેથી કેટલીક ઈમારતો વર્ષો સુધી રીપેર થઈ શકી નથી. મહાનગર પાલિકા ભયજનક ઈમારતોનો સર્વે તો કરે છે.,પરંતુ ત્યાર બાદ કોઈ કાર્યવાહી ન થતા ભયજનક ઈમારતો પડવા વાંકે ઉભી છે. આવી ઈમારતો રીપેરીંગ થાય અથવા તેને પાડવામા આવે તે જરૂરી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

માત્ર નોટીસ આપીને કામગીરીનો સંતોષ

મહાનગર પાલિકા દ્રારા સર્વે બાદ નોટીસ આપીને સંતોષ માનવામા આવે છે, પરંતુ બાદ કોઈ કાર્યવાહી કરવામા આવતી નથી. તેમજ આવી ઈમારતોના કારણે કોઈ અકસ્માત કે જાનહાની થાય તો જવાબદારી કોની. ? કોઈ ઘટના બને બાદ તંત્ર દોડધામ કરે તે પહેલા ભયજનક ઈમારતો માટે યોગ્ય પગલા લે તે જરૂરી છે. શહેરમાં અનેક જુની અને જોખમી 136 જેટલી ઈમારતો છે, કેટલીક ઈમારતો જર્જરીત હાલતમાં જોવા મળે છે. જે પડે તો અકસ્માત થઈ શકે છે. કોઈ દુર્ધટના બને તે પહેલા તંત્ર પગલા લે તેવી માંગ ઉઠી છે. માત્ર ગત વર્ષની ઈમારતોના માલિકોને માત્ર એક નોટીસ આપીને તંત્ર સંતોષ માની લે છે. પરંતુ તે બાદ કોઈ પગલા લેવાતા નથી. વિપક્ષના નેતા આનંદ રાઠોડે માંગ કરી છે માત્ર નોટીસ નહી પરંતુ આસામીઓ દ્રારા જર્જરીત ઈમારત મુદે યોગ્ય કામગીરી થાય.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">