Jamnagar : મહાનગર પાલિકાની એડવાન્સ વેરા પર રીબેટ યોજના, નાગરીકોને 10 થી 25 ટકા સુધીનું મળે છે વળતર

અગાઉ આ યોજના 17 મે 2021 થી 19 જુલાઈ 2021 સુધી અમલી કરવામાં આવી હતી. જેમાં એડવાન્સ વેરા ભરનારને 10 થી 25 ટકા સુધીનું વળતર આપવામાં આવે છે. ત્યારબાદ ફરી મુદત વધારીને 31 જુલાઈ સુધી કરવામાં કરવામાં આવેલ છે.

Jamnagar : મહાનગર પાલિકાની એડવાન્સ વેરા પર રીબેટ યોજના, નાગરીકોને 10 થી 25 ટકા સુધીનું મળે છે વળતર
Jamnagar
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 21, 2021 | 6:36 PM

જામનગર મહાનગર પાલિકા (JMC) દ્વારા ચાલુ નાણાકી વર્ષ 2021-22 અંતર્ગત એડવાન્સ વાર્ષિક વેરો (Tax) ભરપાઈ કરનાર મિલ્કત ઘારકો માટે મુદત વધારવામાં આવી હતી. જેના અંતિમ દિવસો જ બાકી રહ્યા છે. અગાઉ આ યોજના 17 મે 2021 થી 19 જુલાઈ 2021 સુધી અમલી કરવામાં આવી હતી. જેમાં એડવાન્સ વેરા ભરનારને 10 થી 25 ટકા સુધીનું વળતર આપવામાં આવે છે. ત્યારબાદ ફરી મુદત વધારીને 31 જુલાઈ સુધી કરવામાં કરવામાં આવેલ છે.

આ યોજના અંતર્ગત 17 મેથી 19 જુલાઈ સુધીમાં 58,752 આસામીઓએ એડવાન્સ વેરા વળતર યોજનાનો લાભ મેળવેલ છે. જેમાં મિલ્કત વેરા પેટે રૂ. 20.96 કરોડ અને વોટર ચાર્જ પેટે રૂ. 3.84 કરોડ પ્રાપ્ત થયેલ છે અને રૂ. 1.75 કરોડનું રીબેટ આપવામાં આવેલ છે. આ રીબેટ યોજના અન્વયે મિલ્કત વેરામાં 39,283 લાભાર્થીઓએ રૂ. 1.43 કરોડ તથા વોટર ચાર્જમાં 19,469 લાભાર્થીઓએ રૂ. 31.71 લાખનું રીબેટ મેળવેલ છે.

ચાલુ નાણાકીય વર્ષ 2021-22 અંતર્ગત તા. 1 એપીલ 2021 થી 19 જુલાઈ સુધી મિલ્કત વેરાની કુલ 22.89 કરોડ તથા વોટર ચાર્જમાં કુલ રૂ. 4.25 કરોડની વસુલાત થઈ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ ઉપરાંત ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન તા. 31 માર્ચ 2006 સુધીની રેન્ટ બેઈઝ પધ્ધતિ મુજબની બાકી રોકાતી મિલ્કતવેરા, વોટર ચાર્જની રકમ ઉપર 100 ટકા વ્યાજ માફી તેમજ 1 એપ્રિલ 2006 થી કારપેટ બેઈઝ પધ્ધતિ મુજબની બાકી રોકાતી મિલ્કત વેરા, વોટરચાર્જની રકમ ઉપર 50 ટકા વ્યાજ રાહત યોજના ચાલુ છે.

ચાલુ નાણાકીય વર્ષ 2021-22 દરમ્યાન વ્યવસાય વેરાની બાકી રોકાતી રકમ તા. 1 જુલાઈ 2021 થી 31 માર્ચ 2022 સુધીમાં ભરપાઈ કરનાર તમામ વ્યવસાયકારો માટે 50 ટકા વ્યાજમાફી યોજના જાહેર કરેલ છે.

વેરા મહાનગર પાલિકાના મુખ્ય કેશ કલેકશન વિભાગ, ત્રણેય સીટી સીવીક સેન્ટરો, શહેરની વિવિધ બેન્ક જેમાં એચડીએફસી બેન્ક, નવાનગર કો-ઓપ.બેન્ક, આઈડીબીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્કની શહેરની તમામ શાખાઓમાં તેમજ મોબાઈલ ટેકસ કલેકશન વેનમાં સ્વીકારવામાં આવે છે.

આ ઉપરાંત ઓનલાઈન વેરા ભરવા માટે wwww.mcjamnagar.com પર લોંગીન કરીને 2 ટકા (મહત્તમ રૂ. 250 સુધી) નું વધારાનુ વળતર મેળવી શકાય છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">