જામનગરઃ હાપા યાર્ડમાં ચણાની મબલખ આવક, અપુરતા ભાવથી ખેડુતો નિરાશ

સરકાર દ્રારા ટેકાના ભાવે ચણાની ખરીદી 27 જુનથી બંધ કરવામાં આવી છે. સરકાર દ્રારા ટેકાનો ભાવ 1020 રૂપિયા મણનો આપવામાં આવ્યો છે. જે ખુલ્લા બજારમાં ભાવ ઓછો મળતો હોવાનો ખેડુતો ફરીયાદ કરી રહ્યા છે.

જામનગરઃ હાપા યાર્ડમાં ચણાની મબલખ આવક, અપુરતા ભાવથી ખેડુતો નિરાશ
જામનગરના માર્કેટયાર્ડમાં ચણાના પૂરતા ભાવ ના મળતા ખેડૂતો નિરાશ
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 13, 2021 | 10:17 PM

ગુજરાત સરકાર દ્વારા હાલ ચણાની ટેકાના ભાવે ( Support price ) ખરીદી બંધ કરી છે. જો કે ખેડૂતો ચણા વેચવા માટે માર્કેટયાર્ડમાં ( Marketyard ) આવી રહ્યાં છે. જ્યા તેમને પુરતા ભાવ મળતા ના હોવાની ફરિયાદ કરી રહ્યાં છે.

હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોવાથી ચણા સહીતની જણસને ખુલ્લામાં રાખવી જોખમી ગણાય છે. આવા સંજોગોમાં ખેડૂતોને મર્યાદીત જણસ સાથે આવવા માર્કેટયાર્ડ દ્વારા અપિલ કરાઈ છે. જો કે ચણાની આવક વધતા, જામનગરના નવા માર્કેટયાર્ડ ( Hapa Yard )દ્વારા નવી આવક લાવવા ઉપર પ્રતિબંધ મુકાયો હતો. જો કે આજે ખેડૂતો ચણા લઈને આવતા, પૂરતા ભાવ મળતા ના હોવાની ફરિયાદ ઉઠી છે.

સરકાર દ્રારા ચણાની ટેકાના ભાવે ( Support price ) ખરીદી કરવાનુ બંધ કરવામાં આવ્યુ પરતું હજુ પણ યાર્ડમાં યણાની મબલખ આવક થઈ રહી છે. ખેડુતો ટેકાના ભાવ ( Support price ) જેટલા પણ ભાવ ના મળતા હોવાની ફરીયાદ ખેડુતો કરી રહ્યા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં થોડા દિવસથી ચણાની આવકમાં વધારો થયો છે. હાલ વરસાદી વાતાવરણ હોય તેથી ખુલ્લા શેડમાં જણસી ના રાખી શકાય તેથી તમામ જણસી મર્યાદિત માત્રામાં આવક લેવામાં આવે છે. ચણાની આવક વધતા તેના પર વારંવાર તેની નવી આવક પર યાર્ડમાં પ્રતિબંધ મુકવામાં આવે છે. હાલ આજે ફરી જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં ચણાની આવક શરૂ કરવામાં આવી. જેમાં અઢી હજાર ગુણીની આવક થઈ છે. અત્યાર સુધીમાં યાર્ડમાં કુલ 4 લાખથી વધુ ગુણીની ચણાની આવક થઈ છે. ખેડુતોન 860 થી 960 રૂપિયા સુધીનો મણનો ભાવ મળી રહ્યો છે.

સરકાર દ્રારા ટેકાના ભાવે ચણાની ખરીદી 27 જુનથી બંધ કરવામાં આવી છે. સરકાર દ્રારા ટેકાનો ભાવ 1020 રૂપિયા મણનો આપવામાં આવ્યો છે. જે ખુલ્લા બજારમાં ભાવ ઓછો મળતો હોવાનો ખેડુતો ફરીયાદ કરી રહ્યા છે. ટેકાના ભાવે વેચવા ઈચ્છા ખેડુતો ખરીદી પ્રક્રિયાની ગુચવણોના કારણે વેચાણ કરી શકયા નહી. અને ખુલ્લા બજારમાં વેચાણ કરવા માટે ખેડુતો મજબર બન્યા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">