Jamnagar: એરંડાનું ઉત્પાદન ઓછું થવાથી ભાવમાં વધારો, ખેડૂતોને થોડી રાહત

જે અગાઉ એરંડાના એક મણના ભાવ ખેડુતોને 800ની આસપાસ મળતા હતા. જે હવે 1300થી વધુ મળી રહ્યા છે. મણના ભાવ 1300થી વધુ મળતા ખેડુતોને (Farmer) થોડી રાહત મળી છે.

Jamnagar: એરંડાનું ઉત્પાદન ઓછું થવાથી ભાવમાં વધારો, ખેડૂતોને થોડી રાહત
એરંડાના ભાવમાં વધારો (File Image)
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: May 09, 2022 | 7:47 PM

જામનગરના (Jamnagar) હાપા માર્કેટીંગ યાર્ડમાં હાલ ખેડૂતોને એરંડાના પુરતા ભાવ મળી રહ્યા છે. જો કે આ વખતે ઉત્પાદન ઓછુ થતાં ખેડૂતોની આવક ઓછી થઈ છે તો એરંડાના ભાવ વધતા ખેડૂતોને થોડી રાહત મળી છે. જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લા બજારમાં એરંડાના મણના ભાવ બમણા જેવા થયા છે. હાલ એરંડાની આવક યાર્ડમાં થઈ રહી છે. પરંતુ અગાઉ ઓછા ભાવ મળતા એરંડાનું વાવેતર ઓછુ થયુ હતુ અને વાતાવરણની અસરના કારણે તેની ઉત્પાદન પણ ઘટયુ છે. જેના કારણે એરંડાની ઓછી આવક થતાં તેના ભાવમાં ઉછાળો આવ્યો છે.

જે અગાઉ એરંડાના એક મણના ભાવ ખેડૂતોને 800ની આસપાસ મળતા હતા. જે હવે 1,300થી વધુ મળી રહ્યા છે. મણના ભાવ 1,300થી વધુ મળતા ખેડૂતોને થોડી રાહત મળી છે. ઉત્પાદન ઘટતા અને સામે બિયારણ સહિતના ભાવ વધતા ખેડૂતોને ઓછા ભાવે નુક્શાન થવાની ભીતિ હતી. ત્યારે એરંડાના ભાવમાં ઉછાળો આવતા ખેડૂતોને થોડી રાહત મળી છે.

ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં વધારો, ખેડૂતોને આર્થિક રાહત

ગત વર્ષે હાપા માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષે 6 લાખથી વધુ મણની આવક થઈ હતી. વર્ષ 2020-2021માં કુલ 6,16,543 મણ એરંડાની આવક થઈ હતી. જેના ભાવ ઓછા મળતા તેની અસર આ વર્ષના વાવેતરમાં જોવા મળી છે. વાવેતરમાં ઘટાડો થતા એરંડાનું ઉત્પાદન હાલ 60 ટકા જેટલું ઓછું  થયુ છે. જેના ભાવ ગત વર્ષે એક મણના ભાવ રૂ. 750થી 850 નોંધાયા હતા. પરંતુ આ વર્ષે ખેડૂતોને એક મણના ભાવ 1,000થી 1,350 રૂપિયા સુધી ખુલ્લા બજારમાં નોંધાયા છે. ઓછા ઉત્પાદનના કારણે ભાવમાં વધારો થયો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ગત વર્ષ સારા ભાવ ન મળતા ખેડૂતોએ એરંડાનું વાવેતર ઓછુ કર્યુ હતુ. જેમાં 60 ટકા જેટલુ વાવેતર ઓછુ થયુ હતુ અને વાવેતર બાદ પણ તેમાં વાતારવણની અસર થતાં ઉત્પાદન ઓછુ થયુ હતુ. આવા કારણોથી એરંડાનું ઓછુ ઉત્પાદન થતાં તેના ભાવમાં ઉછાળો થયો છે. પરંતુ બમણાની આસપાસનો ભાવ વધારો મળતા ખેડૂતોને થોડી આર્થિક રાહત જરૂર થઈ છે. પરંતુ ખેડૂતોની આવકમાં કોઈ વધુ ફરક પડયો નથી. હાલ સુધીમાં હાપા માર્કેટીંગ યાર્ડમાં એરંડાની કુલ 3,51,078 મણની આવક થઈ છે. હજુ પણ એરંડાની આવક ચાલુ છે. ખુલ્લા બજારમાં  ખેડૂતોને એરંડાના ભાવ સારા મળતા ખેડૂતોને થોડી આર્થિક રાહત થઈ છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">