Jamnagar : વરસાદની આગાહીને પગલે જિલ્લાના તમામ બંદર પર ભયસૂચક સિગ્નલ, માછીમારોને દરિયામાં ન જવા સૂચના અપાઈ

વરસાદની આગાહીને પગલે સૌરાષ્ટ્રના બંદરો પર ભયજનક સિગ્નલ લગાડવામાં આવ્યા છે. જામનગર જિલ્લાના બંદર પર ભયજનક 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે.

Jamnagar : વરસાદની આગાહીને પગલે જિલ્લાના તમામ બંદર પર ભયસૂચક સિગ્નલ, માછીમારોને દરિયામાં ન જવા સૂચના અપાઈ
ભયસૂચક સિગ્નલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2021 | 1:02 PM

અરબી સમુદ્રમાં સર્જાયેલ હવાના હળવા દબાણને લો પ્રેસર પણ કહેવામાં આવે છે, તે દક્ષિણ ગુજરાતથી ખૂબ નજીક છે. આ વરસાદી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ખૂબ સારો વરસાદ મળશે. આ સાથે જ આ વરસાદી સિસ્ટમના કારણે આગામી 5 દિવસ દરમ્યાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાનું જણાવ્યું છે. જેથી દરિયામાં ભારે પવન અને વરસાદની શક્યતા સેવાઇ રહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદનું અનુમાન છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠે ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે.

જામનગરના (Jamnagar) બેડી, રોઝી, સલાયા સહીતના તમામ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત ઉપર રચાયેલા લો પ્રેશરના કારણે સિગ્નલ લગાવવામાં આવ્યું છે. લો પ્રેશરના કારણે 45 થી 65 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી પણ કરવામાં આવી છે. લો પ્રેશરના કારણે માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

નોંધનીય છે કે, સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર પર પણ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. વેરાવળ જીએમબી દ્વારા 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને દરિયા ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

જાફરાબાદ, પોરબંદર, માંગરોળ અને ગીરસોમનાથના વેરાવળ બંદર પર ભયસૂચક સિગ્નલ લગાવાયા છે. પોરબંદર પોર્ટ, જાફરાબાદ પોર્ટ, માંગરોળ પોર્ટ અને વેરાવળ પોર્ટ પર ગુજરાત મેરિટાઇન બોર્ડે દ્વારા 3 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, હાલ 33 માંથી 28 જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. જેમાંથી સૌથી વધુ વરસાદની ઘટ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ગાંધીનગર અને દાહોદમાં જોવા મળી રહી છે. 12 જુલાઈ સુધી ગુજરાત રાજ્યમાં 39% જેટલા વરસાદની ઘટ જોવા મળી રહી છે. જેના કારણે ખેડૂતો અને વૈજ્ઞાનિકો પણ ચિંતિત છે. પરંતુ હવામાન વિભાગના વૈજ્ઞાનિકોનું માનીએ તો અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેસરથી ગુજરાત રાજયને ખૂબ સારો વરસાદ મળશે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">