Gujarat : કોરોના રસી ન લેનાર કર્મચારીને સસ્પેન્ડ કરવા મામલે એરફોર્સને હાઇકોર્ટની નોટિસ, કહ્યું 1 જુલાઇ સુધી કાર્યવાહી ન કરો
Gujarat : એરફોર્સના જવાનોએ કોવિડ -19 સામે રસી લેવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ આઈએએફએ આ કર્મચારીઓની સેવા સમાપ્ત કરવા માટે કારણદર્શક નોટિસ પાઠવી હતી.
Gujarat : એરફોર્સના જવાનોએ કોવિડ -19 સામે રસી લેવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ આઈએએફએ આ કર્મચારીઓની સેવા સમાપ્ત કરવા માટે કારણદર્શક નોટિસ પાઠવી હતી.
ગુજરાત હાઈકોર્ટે ભારતીય વાયુ સેનાના જામનગરમાં તૈનાત કર્મચારીઓ દ્વારા દાખલ કરેલી અરજી પર હવાઈ દળને નોટિસ ફટકારી છે. હકીકતમાં, એરફોર્સના કર્મચારીને એન્ટી-કોરોના રસી ન મળતાં તેને સસ્પેન્ડ કરવા માટે કારણદર્શક નોટિસ અપાઇ હતી, આ મુદ્દો કર્મચારીઓ દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
ન્યાયાધીશ એ.જે. દેસાઇ અને એ.પી. ઠાકરની ડિવિઝન બેંચે મંગળવારે પસાર કરેલા આદેશમાં આઇએએફ અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. અને આઇએએફને અરજદાર વિરુદ્ધ કોઈ પગલાં ન લેવા સૂચન કર્યું હતું. અરજદાર યોગેન્દ્ર કુમારે 10 મે, 2021 ના રોજ, એરફોર્સ દ્વારા મોકલેલ શો કોઝ નોટિસને રદ કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી.
રસીકરણ મામલે વલણ “અશિસ્તબદ્ધ”
અરજી મુજબ, આઈએએફએ કર્મચારી સામે એક નોટિસ જાહેર કરી હતી, જેમાં આઈએએફએ જણાવ્યું છે કે રસીકરણ સામે એરફોર્સના જવાનોનું વલણ “અશિસ્તબદ્ધ” છે અને, તેમનું આ પ્રકારનું વલણ, અન્ય હવાઇ સૈનિકો અને નાગરિકો પર ખરાબ અસર કરી શકે છે. આ સાથે જ અરજદારે જાહેર કરેલી નોટિસને ટાંકીને કહ્યું કે, “રસી ન લેવા બદલ બરતરફ થવું એ માત્ર ગેરકાયદેસર, ગેરબંધારણીય જ નહીં પરંતુ ભારતના બંધારણના આર્ટિકલ 14 અને 21 નું ઉલ્લંઘન પણ છે. કર્મચારીઓએ કોર્ટને વિનંતી કરી હતી કે નોટિસ ફટકારવાના નિર્દેશન માટે અને ભારતીય વાયુસેનાને તેને રસીકરણ માટે દબાણ ન કરવા કહેવું જોઇએ.
કમાન્ડિંગ અધિકારીને પત્ર લખીને અનિચ્છા દર્શાવી હતી અરજદારે તેના સ્ક્વોડ્રોનના કમાન્ડિંગ ઓફિસરને એક પત્ર લખીને 26 ફેબ્રુઆરી, 2021 ના રોજ શિબિરમાં યોજાનારી રસીકરણ દરમિયાન COVID-19 સામે રસી લેવાની અનિચ્છા દર્શાવી હતી. અરજદારે તેની અરજીમાં કહ્યું હતું કે તે રસીકરણ લેવા માંગતો નથી, તેમ જ તેણે કહ્યું હતું કે તેઓ કોવીડ -19 સામેની પ્રતિરક્ષા વધારવા માટે આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરી રહ્યા છે.
તે જ સમયે, કર્મચારીઓએ કોર્ટમાં કરેલી અરજીમાં કહ્યું હતું કે, “અરજદારને તેની પસંદગીની સારવાર કરાવવાનો અધિકાર છે અને તેને રસી આપવા દબાણ કરી શકાતું નથી. કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ, આ રસી સ્વૈચ્છિક છે અને દેશના વ્યક્તિઓ માટે ફરજિયાત નથી.