જામનગરમાં રખડતી ‘રંજાળ’ ક્યારે અટકશે ? ફરી એકવાર રખડતા ઢોરે એક વૃદ્ધનો જીવ લીધો
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ(CCTV Footage) પણ સામે આવ્યા છે.જેમાં જોઈ શકાય છે કે, પશુથી બચવા વૃદ્ધ ભાગી રહ્યા છે.
રાજ્યમાં (Gujarat)છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ અટકે તે માટે ઢોર નિયંત્રણ કાયદો લાવવા ઘણી મથામણ ચાલી રહી છે.બીજી તરફ જામનગર સહિત ઘણા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે-દિવસે વધતો જોવા મળી રહ્યો છે.જામનગરમાં(Jamnagar) ફરી એકવાર રખડતા ઢોરે એક વૃદ્ધનો જીવ લીધો છે. શહેરના ચાંદી બજાર વિસ્તરમાં રખડતા પશુએ વૃદ્ધ પર હુમલો કરી દીધો હતો. આ પશુ ત્યાં સુધી વૃદ્ધને અડફેટે લેતું રહ્યું જ્યાં સુધી વૃદ્ધનો જીવ ન ગયો…!
શહેરમાં યમદુત બની રહી છે રખડતી રંજાળ !
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ(CCTV Footage) પણ સામે આવ્યા છે.જેમાં જોઈ શકાય છે કે, પશુથી બચવા વૃદ્ધ ભાગી રહ્યા છે.જો કે, વૃદ્ધનું બેલેન્સ બગડતાં તેઓ જમીન પર પટકાય છે. ત્યારબાદ રખડતા ઢોરે વૃદ્ધને કચડી નાખે છે.જેને કારણે વુદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજે છે.
આ પહેલા જામનગર શહેરમાં રખડતા ઢોરે રાધેકૃષ્ણ મંદિર(Radhe Krishna Temple) પાસેથી પસાર થતા પતિ-પત્નીને અડફેટે લીધા હતા. જેમાં મહિલા ગંભીર ઈજાગ્રસ્ત થતા તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવાની પરજ પડી હતી. મળતી માહિતી મુજબ ઈજાગ્રસ્ત મહિલાને માથા, કમર, પગ અને આંખના ભાગે ગંભીર ઈજા થઈ હતી.